આખલા એ વૃધ્ધા ને પેટ મા શિંગડા મારતા કરુણ મોત નીપજ્યું
ઉનામાં આખલાનો આતંક, વૃદ્ધાને પેટમાં શિંગડા ભરાવી મોતને ઘાટ ઉતારી દીધા.ખરેખર મોતની અનેક ઘટનાઓ બનતી હોય છે. આપણે ક્યારેય વિચાર્યું ન હોય એવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં જોવા મળતી જ હોય છે. હાલમાં જ રાજ્યના અનેક શહેરોમાં રખડતા પશુઓ નો ત્રાસ વધી રહ્યો છે. દરરોજ મીડિયામાં રખડતા પશુઓએ હુમલો કર્યો હોવાના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.
હાલમાં જ એક દુઃખ ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધાનો જીવ આખાલા એ લીધો.ગીર-સોમનાથ જિલ્લા માં એક ગામમાં આખલાને પગલે એક વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો. આખલાએ પોતાના શિંગડા પેટમાં મારીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટના બાદ ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આખલાના હુમલાથી વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વૃદ્ધા પર હુમલા બાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ બઆખલો ત્યાં જ બેસી રહેતા ગામ લોકોએ ટ્રેક્ટર સાથે બાંધીને બહાર મૂકી આવ્યા.
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંકની અનેક ફરિયાદો છેલ્લા થોડા દિવસોથી મળી રહી છે. થોડા દિવસ પહેલા અહીં એક આખલાએ આતંક મચાવ્યો હતો. આ અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવે આ જ કડીમાં ગઈકાલે જોશીપરાની સર્વોદય સોસાયટીમાં એક આખલાએ મહિલાને પછાડી દીધી હતી અને પેટમાં ઢીંકો મારી હતી.
આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહિલાની સાથે રહેલી મહિલાએ પ્રયાસ કરતા આખતો ત્યાંથી ભાગી ગયો હતો મહિલાને સામાન્ય ઈજા જ પહોંચી હતી. આ ઘટનાઓના કારણે લોકો આવા ઢોરને તાત્કાલિક પકડવાની તેમજ તેમના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.આ દુઃખ ઘટના બની એ પહેલા જ પાટણમાં આખલા યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના જલચોક સરદાર બાગ રોડ પર બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો. જાહેરમાં રસ્તા વચ્ચે જ આખલા યુદ્ધ જામતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ અંગે સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે. ખરેખર રખડતા ઢોર થી હમેશા સાવચેત જ રહેવું જોઈએ, કારણ કે, આવા ઢોરના કારણે સામાન્ય વ્યક્તિ જીવ ગુમાવવો પડી શકે છે. આ ઘટનામાં મુત્યુ પામનાર મતૃકની આત્માને શાંતિ મળે એક પ્રાથના.