Religious

આ પટેલ પરિવાર ને ત્યાં રોકાતા જલારામબાપા,પ્રસાદી માં એવી વસ્તુ આપી હતી કે આજ સુધી સાચવી ને રાખી છે…

વીરપુરનાં જલારામ બાપાનો મહિમા ખૂબ જ અપાર છે! આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. જલારામ બાપા જીવનના અંત સુધી સદાવ્રત ને કાયમ રાખ્યું અને આજે પણ ભલે તેમનો હયાતી ન હોય પરતું એ પરંપરા તૂટી નથી અને કોઈપણ દાન કે દક્ષિણા લીધા વગર અવિરત પણે ભક્તોના ભોજન કરાવવામાં આવે છે. આજે આપણે વીરપુર બાપના જીવનની એ ઘડી વિશે વાત કરવાની છે,જ્યારે બાપા વીરપુર થી પોતાના.ગુરુ.ભોજલરામ બાપાને મળવા જતા ત્યારે એક પટેલ પરિવાર ને ત્યાં રોકાતા અને આ પટેલ પરિવાર પાસે બાપાની પ્રસાદીની વસ્તુ છે.

ચાલો આ પવિત્ર ઘટના વિશે વધુ વિગતવાર જાણીએ. જલારામ બાપાના ગુરુ એટલે ભોજલરામ! ભોજા ભગતનો નો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબીજ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં .જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.

વીરપુર થી પોતાના ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં રહેતા પટેલના ઘરે રાત વાસો કરતા પ્રસાદીમાં લાકડી આપી હતી. આજે પણ તેમની પાંચમી પેઢીએ આ લાકડીને રાખવામાં આવેલી છે. આજે પણ અહીયા ભકતો આ લાકડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપણે એ વાત તો જાણીએ છે કે, વીરપુરમાં પણ એક સંતે જોડી અને લાકડી આપી હતી અને એ લાકડી વીરપુરમાં છે.

આ પવિત્ર સ્થાન ભોજલરામ બાપાને અમરેલી પાસેના ફતેપુરમાં ઘણા વર્ષો પહેલા મળવા આવતા. જે વીરપુરથી ફતેપુરની યાત્રામાં વચ્ચે કુકાવાવ પાસેના ખજુરી પીપળીયા ગામમાં રાતવાસો કરતા અને ત્યારબાફ એ સમયમાં તેઓ ઠક્કર પીપળીયા તરીકે ઓળખવામાં આવતુ હતુ. આ ગામમાં લોહાણા સમાજના લોકો રહેતા હતા. તેવામાં એક પટેલ પરિવાર પણ રહેતુ જે આજે પણ હયાત છે. પોતાના ગુરૂ ભોજલરામ બાપાના આશિર્વાદ પામવા માટે જલારામ બાપા ફતેપુર ખાતે આવતા તે સમયે રસ્તામાં આવેલા ઠક્કર પીપળીયા ખજુરી પીપળીયામાં પટેલ પરિવારના રામજીબાપા હીદડને ત્યાં રાતવાસો કરતાં હતાં.

રામજીબાપાને ત્યાં રાતવાસો કરતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા બંધાઈ ગઇ હતી અને તેઓના પરિવાર પ્રત્યે લાગણી બંધાઇ ગઇ હતી. આ જ કારણે જલારામ બાપાએ પોતાની હાથમાં જે લાકડી રાખતા તે રામજીબાપાને પ્રસાદીમાં આપેલી જે લાકડી આજે પણ હીદડ પરિવારની પાંચમી પેઢીએ સાચવી રાખીને ધન્યતા અનુભવી રહ્યાં છે.ખરેખર આનાથી વધારે બીજી દિવ્યતા બીજી શું હોય શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!