નવસારીની દીકરી મનિષા મનાણીએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી, નાયબ કલેકટરની પોસ્ટ સંભાળશે
આપણા જીવન મા સફળતા અને નિષ્ફળતા નો આધાર ઘણી વખત પરીવારે આપેલા સહકાર પર પણ આધાર રાખતો હોય જે જેનુ તાજુ ઉદાહર નવસારી ની દિકરી મનીષા મનાણી છે જેણે પરીવાર ના સહકાર થી જીપીએસસીની પરીક્ષા મા 2 લાખ ઉમેદવારમાંથી 15 પાસ થયા હતા જેમા મનીષા પણ હતી અને નાયબ કલેક્ટર બન્યા હતા.
જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે વર્ષો થી લાખો વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય જે જેમાથી અમુક ટકા વિદ્યાર્થી ને સફળતા મળતી હોય છે ત્યારે મુળ નવસારી ની મનાણી પરીવારની દિકરી એ આ પરીક્ષા પાસ કરતા પરીવાર મા ખુશી નો મોહોલ છવાઈ ગયો હતો. મનીષા ને આ પરીક્ષા પાસ કરવા માટે ઘણા વર્ષો ની મહેનત લાગી હતી.
નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલા મુલાનંદનગર વિસ્તારમાં હરિદર્શનમાં રહેતી મનિષાબેન નારણભાઈ મનાણી નુ નાનપણ થી સપનુ હતુ કે કલેક્ટર બને અને નાનપણ થી અભ્યાસ મા રુચી કેળવી હતી તેમનો પ્રાથમીક અભ્યાસ અને હાઈસ્કુલ નો અભ્યાસ વિજલપોરમાં આવેલી સંસ્કારભારતી સ્કૂલમાં કર્યો અને બાદ મા કોલેજ નો અભ્યાસ બારડોલીની માલીબા કોલેજમાં કર્યો અને ત્યાંથી બી.ફાર્મ.ની ડિગ્રી મેળવી હતી.
મનીષા વધુ અભ્યાસ અમદાવાદ ગઈ હતી અને જયાં પોતાનો એમ બી એ નો અભ્યાસ પુર્ણ કરી ગાંધીનગર મા ડીએસઓ તરીકે જોબ કરી હતી. હાલ અમદાવાદ મા પતિ સાથે રહે છે અને 10 દિવસ બાદ નાયક કલેક્ટર ની જગ્યા પર પોસ્ટીંગ થશે. પરંતુ પોતાનો ધ્યેય ભુલી નથી અને કલેક્ટર બનશે ત્યા સુધી તૈયારીઓ ચાલુ રાખશે.
મનિષા ની સફળતા માટે પરીવાર ના દરેક સભ્યો નો સહકાર મળ્યો હતો અને ખાસ કરી ને મનીષા ના પિતા કે જે બીલ્ડીંગ મટીરીયલ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે અને મનીષા ના પતિ એ ઘણો સહકાર પુરો પાડ્યો હતો.