અમદાવાદ ના યુવા ડોક્ટર કપિલ પરમાર વિચિત્ર રીતે આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી
હાલમાં જ અમદાવદના યુવા ડોક્ટરે વિચિત્ર રીતે આપઘાત કરી લીધો.આ ઘટના અંગે જાણીને તમે પણ ચોંકી જશો કારણ જે આ યુવા ડોકટરે એવા નજીવા કારણે આપઘાત કરી લીધો કે તમારું હૈયું કંપી જશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સીવીલ હોસ્પિટલમાં આવેલ બી.જે.મેડિકલ કોલેજમાં 26 વર્ષીય ડૉકટર કપિલ પરમારે ઝેરી પદાર્થનું ઇન્જેકશન લઇને જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના અંગે ત્યારે જાણ થઈ જ્યારે ડૉકટરના મિત્ર તેના રૂમમાં આવ્યા હતા.બેભાન હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનોં નોધીને વધુ તપાસ હાથધરી છે. ડૉકટર કપિલ પરમાર અમદાવાદની કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ એમડીનો અભ્યાસ કરવા માટે બી.જે.મેડિકલ કોલેજમાં ભણતો હતો.
તા. 4 નવેમ્બરે રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેને પી જી હોસ્ટેલના પોતાના રૂમમાં ઝેરી પદાર્થનું ઇન્જેકશન લઇ વિચિત્ર રીતે જીવન ટૂંકાવ્યુ છે. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સવારે 9 વાગ્યાની આસપાસ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં કપિલ અભ્યાસ અને કામના ભારણને લઇને થોડા દિવસથી સ્ટ્રેસમાં રહેતો હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં કોઇ પણ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. જ્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. સલમાં પોલીસે તેના મોબાઇ ફોનની તપાસ કરી રહી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે કપિલે ઉતાવળૂ પગલું ભર્યું છે.કપિલ માનસિક તણાવ અંગે ખુલીને વાત કરતો તો તેનું દુઃખ ઓછું થઈ જતું.જ્યારે કોઈ પણ ફિલ્ડમાં જવાનું નક્કી કરીએ તો માનસિક તૈયારી રાખવી જરૂરી છે.કોઈ તકલીફ હોય તો મિત્રો કે પ્રોફેસરને વાત કરવી પરંતુ ખોટું પગલું ના ભરવું જોઈએ. ખરેખર આ વાત સાચી છે કારણ કે જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે અને તેનો સામનો કરવો જરુંરી છે કારણ કે આત્મહત્યા એ અંતિમ વિકલ્પ નથી.