India

ગાંધીજી સાથે જોડાયેલી ઘણી ઓછી જાણીતી વાતો

આપણે સૌ જાણીએ છીએ કે ૧૯૪૭ની સાલમાં દેશ આઝાદ થયો અને દેશના આઝાદી અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર મહાન દેશભક્ત એ હજી આઝાદ હિન્દની સરખી હવા પણ શ્વાસ માં નથી લીધી ત્યાં તો આઝાદીના પાંચ જ મહિના પછી એટલે કે 30 જાન્યુઆરી  1948  ના રોજ અચાનક જ બાપુ એ વિદાય લઈ લીધી અથવા તો તેમને વિદાય આપી દેવામાં આવી અમુક કટ્ટરપંથીઓ ના ટુંકા વિચારોના કારણે .

બાપુ વિશે આપણે સૌ ઘણું જાણીએ છીએ પણ આજે આપણે એવી વાતો જાણીએ કે જે તેની સાથે જોડાયેલી તો છે પણ ખૂબ ઓછી ચર્ચાય છે.

આપણે બધા જાણીએ છીએ કે બાપુ વકીલાતનું ભણતર ભણેલા હતા પણ આપણે એ ખબર નથી કે એને વકીલાતનું ભણતર વકીલ બનાવવા માટે નહીં પણ જો તેને કાયદાનું જ્ઞાન હોય તો આગળ જતાં  રાજ માં દિવાન જેવી કોઈ સારી પોસ્ટ મળી શકે તે માટે આપવામાં આવ્યું હતું.

જ્યારે તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા ત્યારે તે ખૂબ જ complex થી પીડાતા હતા કારણ કે ત્યારના ગોરા લોકોની વચ્ચે તેમના સામાન્ય દેખાવના કારણે તેને ખૂબ જ શરમ આવતી હતી તે બોલવામાં શરમાળ અને ઓછા આત્મવિશ્વાસ હોવાના કારણે લોકો થી ઓછું હળતા મળતા. ત્યાંના વર્ગની અંદર સામેલ થવા માટે અને ત્યાંના લોકો સાથે હળવા-મળવાનું માટે તે ત્યાંના લોકો જેવા કપડાં પહેરવાનું પસંદ કરતા અને ત્યાંના લોકોની પાર્ટીઓમાં જવાનું પસંદ કરતા ઇંગ્લીશ પણ બોલવાની તેને ખૂબ કોશિશ કરી અને શીખ્યા પણ. એમ કહી શકાય કે આપણે બાપુને માત્ર આદર્શોથી જોઈએ તો ન ચાલે પણ બાપુ પણ જ્યારે યુવાના હતા ત્યારે આજના જુવાનીયાઓ ની જેમ તેને પણ ફેશન કરવી ગમતી પાર્ટીઓ પણ ગમતી અને લોકો પોતાનાથી પ્રભાવિત થાય તેવું પણ તેને ગમતું. પણ સમાજ અને દેશની ખરાબ સ્થિતિ જોયા પછી તેના વિચારોમાં ફેરફાર આવ્યો.

ઈંગ્લેન્ડ ભણી ને આવ્યા પછી પણ તેણે વકીલાતનો ધંધો શરૂ કર્યો પણ ઓછા બોલા હોવાના કારણે અને શરમાળ હોવાના કારણે તે જજ સામે કોઈ સારો પ્રભાવ પાડી શકતા નહીં જેથી કરીને ભારતમાં કંઈ ખાસ તેનું વકીલાતનું કામ ચાલતું પણ નહીં, પણ આ તો આફ્રિકામાં રહેતા તેના સગાને કોઈ કાયદાકીય કામ માટે એની જરૂર પડી અને એટલે તેને તેના વડીલો દ્વારા આફ્રિકામાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓ પોતાના આવડતથી અનુભવોથી ધીમે ધીમે પોતાની અંદર જાતે ને જાતે આત્મવિશ્વાસ ઊભો કરતા ગયા અને ધીમે ધીમે બધું શીખ્યા અને એક સારા વકીલની નામના તેઓએ ધીમે ધીમે મેળવી પોતાની જાતે જ.

તે કોઈ પહેલેથી જ અન્યાય સામે અવાજ ઉઠાવે તે વ્યક્તિ નહોતા તે શાંતિથી પોતાનું કામ કરતાં પણ હા તે સત્યને હંમેશા પકડી રાખવામાં માનતા હતા અને પોતાના અધિકારો પ્રત્યે ખૂબ જ સજાગ હતા . આફ્રિકન લોકો ઉપર અને ઇન્ડિયન આફ્રિકન લોકો ઉપર જે અત્યાચારો થતા તેના માટે તે માત્ર સંવેદનશીલ હતા. પણ ધીમે ધીમે જ્યાં તેઓ રહેતાં ગયા કાયદાઓ વિશે જાણ થતાં ગઈ તેમ તેમ તેની અંદર પણ ગોરી સરકાર સામે આક્રોશ ઉભો થવા માંડ્યો હતો. અંતે ટ્રેનમાં થયેલા અનુભવ પછી એક જ અઠવાડિયાની અંદર વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી ધરમૂળથી બદલાય ગયા , આ ઘટના ને એક ચમત્કાર જ ગણી શકાય, કારણ કે જે વ્યક્તિને વધારે માણસો વચ્ચે બોલતાં પણ સંકોચ થતો હતો તે વ્યક્તિ હવે લોકોને એકઠા કરીને પોતાના હક , અધિકારો , આને કાયદા કાનૂન  વિશે સમજાવતા હતા.

ધક્કો મારી બાપુને ગાડીમાંથી ઉતરી લેનાર અંગ્રેજ ને ક્યાં ખબર હતી કે કે સુકલકડી સામાન્ય ગુજરાતી માણસ ને ધોકો નથી મારી રહ્યા પણ ભારત પરથી બ્રિટનનો તાજ ઉતારવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા. બાપુ આફ્રિકા ની અંદર એક પ્રચલિત વકીલ બની ગયા હતા જે મને તે સમયે પાંચ હજાર પાઉન્ડ જેટલું કમાઈ લેતા હતા. તેમ છતાં પણ પોતાના જીવનના બધા કમ્ફર્ટ અને આટલી સારી આવક છોડીને તેઓ દેશભક્તિ અને સમાજ ભક્તિ ની રાહે ચડ્યા.

તેને ભારતીય પહેલા આફ્રિકન કાળી પ્રજાતિની માટે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. ( મહાન લોકો એમ જ નથી કહેવાતા જે માત્ર પોતાના સમાજને પોતાની જ્ઞાતિ જાતિ પૂરતું જ વિચારતો હોય તે કદાચ સફળ બને પણ મહાન તો નો જ બની શકે ).તેના જીવનમાં બીજો કિસ્સો બદલાવ પણ ટ્રેનની મુસાફરી દરમ્યાન જ આવ્યો ડર્બન જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેના હાથમાં જોન રસ્કિનનું unto this last પુસ્તક આવ્યું છે તેને આખી રાત વાંચ્યું અને તે પછી તેણે પોતાના જીવન માં સાદગી અપનાવી લિધી. ત્યાર પછી તેણે સાદા વસ્ત્રો ધારણ કયૉ હતા.

સત્યાગ્રહ નો સૌથી પહેલો પ્રયોગ આફ્રિકામાં થયો હતો જાતિભેદ સામે જે તેમણે ચળવળ ઉપાડી હતી તે અફ્રિકા માં બે અઠવાડિયામાં એટલી બધી પ્રચલિત થઈ જે ચળવળનું નામ હતું કે સવિનય સાથે કાયદાનો ભંગ કરવો અને બીજું અહિંસાનો સિદ્ધાંત આ બંને વાતો ભેગી થઈ અને અહિંસક સિદ્ધાંત સાથે કાયદાનો ભંગ એવી નવી ચળવળ ચાલુ થઈ અને જેને ‘ સત્યાગ્રહ ‘ તેવું નામ આપવામાં આવ્યું.

એક વકીલ માંથી બાપુ અને દેશના રાષ્ટ્રપિતા બનવા સુધીની સફર ના બીજ આફ્રિકા ની અંદર કરવામાં આવેલી  અહિંસક વિરોધ માંથી જ રોપાયા હતા.

બાપુ બ્રિટીશ સરકારનો વિરોધ કરતા હતા અને પોતાના દેશમાંથી તેને દૂર કરી અને પોતાના દેશને સ્વતંત્ર કરવાની લડત લડતા હતા પણ એનો પ્રભાવ એટલો જોરદાર હતો કે યુરોપિયન પ્રજાને બાપુ ખૂબ જ વ્હાલા હતા સફેદ વસ્ત્ર ધારણ કરનાર એક સીધાસાદા ઓલિયા જેવા વ્યક્તિમાં યુરોપિયન પ્રજાને ખ્રિસ્તી ધમૅ ના ઈસુ ખ્રિસ્ત દેખાતા હતા કારણ કે તે પણ સફેદ વસ્ત્રો પહેરતા અને તેણે પણ પોતાનું જીવન લોકો માટે ખર્ચી દીધું હતું.

અલગ પડેલા દેશ પાકિસ્તાનના કાયદે આઝમ કહેવાતા મહમદ અલી ઝીણા પણ એક સમયે ગાંધીબાપુ થી ખૂબ જ પ્રભાવિત હતા અને તે પણ ગાંધીબાપુ ના આદેશ મુજબ ભારતની અંદર બ્રિટિશ સરકારનો વિરોધ કરતા હતા. પણ આગળ જતાં પોતાના અસંતોષના કારણે અને પોતાના બદલે વિચારોના કારણે તેના વિચારો ગાંધીજી અલગ થઈ ગયા.

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જ્યારે આખો દેશ આઝાદીનો જશ્ન મનાવતો હતો ત્યારે આઝાદી ખેંચીને પોતાના ખંભે લઈ આવનાર બાપુ ખબર છે શું કરતા હતા? એ પશ્ચિમ બંગાળની નવાખલી નામનો એક પ્રદેશ કે ગામ કે જ્યાં સૌથી વધારે ખરાબ અને તંગ વાતાવરણ હતું હિન્દુ-મુસ્લિમ વચ્ચે તે સમયે તે નવાખલી માં બેઠા હતા જે હજારોની સૈનિક કે પોલીસ ન કરી શકે એ બાપુ ની હાજરી કરી શકતી , બાપુ ની હાજરી જ્યાં હોય કે કોઈ પણ પ્રકારની હુલ્લડ અહીંસા ના બનાવ બનતા નહી.તો આવો હતો બાપુ નો પ્રભાવ.

અને સૌથી છેલ્લે પણ ખૂબ જ જાણવું જરૂરી એવું બાપુએ હંમેશા શસ્ત્રોનો વિરોધ કર્યો હતો તેને ગન કલ્ચર અને ગૅનનો હંમેશા વિરોધ કર્યો હતો તેમ છતાં પણ તેનું મોત  એક બંદુક ની ગોડીઓ થી જ થયું. તે જાણતા હતા કે તેની ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકશે એકથી બે વખત નથુરામ ગોડસેના પ્લાન પણ ફેલ થયા અને તે પકડાઈ જાય તેમ પણ હતા લોકોને પુરી આશંકા અને ભય હતો કે બાપુને હવે કંઈ પણ થઈ શકે છે એમ છતાં પણ બાપુ સામી છાતીએ વિરોધીઓના  વિરોધ ની સામે ઊભા રહ્યા પોતાના જીવનનું બલિદાન આપીને શીખવતા ગયા કે સત્ય એ એક જ જીત છે.

બંદૂકની ગોળીઓથી જીત મેળવી શકાતી હોત તો આજે આપણે બાપુ નહીં નથુરામ ગોડસે યાદ હોત પણ આજે નથુરામ ગોડસે યાદ પણ નથી અને તેને લોકો ભગવાનની જેમ પૂછતા પણ નથી કારણકે બાપુ જે જીવન  જીવ્યા,  બાપુ જે વ્યક્તિત્વ હતું અને બાપુ ના વિચારો જે હતા એ શાશ્વત સત્ય છે અને એટલે જ બાપુ આજે આટલા વર્ષે આપણી વચ્ચે જીવે છે વિચારોમાં કર્મોમાં એ હંમેશા જીવતા રહે એ જ આશા સાથે આપણે એટલું કહી શકીએ અને જો બાપુ ને જીવતા રાખવા હોય તો એના જીવનની  કોઈ પણ એક વાત આપણે આપણા જીવનમાં ઉતારવી જ પડશે તો જ આપણે બાપુને સાચી રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ. વંદન બાપુ ( લવ યુ બાપુ‌ ).

ઝંખના આશિષ ભટ્ટ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!