Gujarat

ગુજરાતના નાના એવા ગામ જન્મેલા નરેન્દ્ર રાવલે 5000 કરોડ ની કંપની ઉભી કરી ! આજે આ દેશ મા છે દબદબો….

વિશ્વના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓ વર્ચસ્વ રહેલું છે. આમ દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગુજરાતી મોખરે છે. આમ પણ કહેવાય છે ને કે, ધંધાદારી ગુજરાતીઓનાં લોહીમાં જ સમાયેલ છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જે ગુજરાતના નાના એવા ગામ જન્મેલા નરેન્દ્ર રાવલ વિશે જેણે 5000 કરોડ ની કંપની ઉભી કરી ! આજે આ દેશ મા છે દબદબો તે જણાવીશું.

આપણે ત્યાં કહેવાય છે ને કે,ઈશ્વર આપે છે, ત્યારે અકલ્પનિય આપે છે, ત્યારે આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે  જેણે પોતાની આપમેળે પોતાનું નામ રોશન કર્યું. આ વ્યક્તિ કોઈ શ્રીમંત પરિવાર નો ન હતો પરંતુ મધ્યમવર્ગમાં હતાં. બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ આ વ્યક્તિ આજે દેશના ટોપ 50 ધનવાનપતિમાં નામ બોલાઈ રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે, આખરે તેના જીવનની કથા શું છે.

કાઠીવાલમાં જન્મલે નરેન્દ્ર રાવલ આજે કેન્યાના સૌથી ધનવાન વ્યક્તિ છે તેમના થકી ત્યાં આજે 50 હજાર થી વધુ અફ્રીકનોને રોજગારી મળે છે તેમજ ત્યાંના બાળકોને શિક્ષણ પૂરું પાડે છે, સાથો સાથ રોજ બાળકોને ભોજન આપ છે અને આ શહેરમાં તેમણે નિસહાય વૃદ્ધ માટે અનાથ આશ્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ટૂંકમાં તેઓ માત્ર રોજના 10 લાખ રૂપિયા દાનમાં આપે છે અને  તેમણે પોતાની સંપત્તિનાં 50 % દાનમાં આપવાની વસીયત બનાવી છે.

કેન્યામાં તેઓ સ્ટીલ માં ગુરુ તરીકે ઓળખાય છે કારણ કે, કેન્યામાં તેઓની દેવકી સ્ટીલની કંપની છે તેમજ સિમેન્ટની કંપનીઓ ધરાવે છે, ટાઈમ્સ અને ફોબ્સમાં તેમની કવરમાં તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને ખરેખર તેમની સાથે તેમની ધર્મ પત્ની નિતા રાવલ સંગાથે જ રહે છે. આ સફળતા પાછળ તેમની એક કહાની છે તે જાણીએ. નરેન્દ્ર રાવલ ગુજરાતનાં એક નાનાં ગામમાંથી આવ્યા હતા નૈરોબીમાં પૂજારી તરીકે પરતું સમય જતાં પિતાની તબિયત ખરાબ થતા તેઓ ગુજરાત આવ્યા પરતું તેમની નોકરી જતી રહી પણ તેમણે હિંમત ન હારી અહીંયા ગુજરાતમાં અજન્ટામાં કામે લાગ્યા પણ પગાર પોસાય નહિ એટલે ફરી આફ્રિકા ગયા અને સ્ટીલ કમ્પનીમાં જોડાયા.

ટૂંક સમયમાં બંધ થતાં તેમણે હાર્ડવેરની નાની દુકાન ખોલી અને એક નિષ્ઠાવન વેપારી તરીકે તેમણે કામ શરૂ કર્યું જોતા તેમને આ નાની દુકાન માંથી મોટું એમ્પાયર બનાવ્યું આજે તેઓ ખૂબ જ સફળ વ્યક્તિ બન્યા છે. આજે આફ્રિકામાં રૂફિંગ ફેક્ટરી, સિમેન્ટ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ અને અન્ય તમામ વ્યવસાયો સ્થાપ્યા. આજે, ફોર્બ્સ મેગેઝિન અનુસાર, તેનું નામ આફ્રિકાના ટોચના 50 સૌથી ધનિક લોકોની યાદીમાં છે અને તેણે 4000 થી વધુ લોકોને રોજગારી આપી છે. આજે નરેન્દ્રભાઈ રાવલે 6000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું છે.

નરેન્દ્રભાઈ રાવલ અને ઉર્ફે ગુરુજી પણ તેમની ચેરિટી માટે ખૂબ પ્રખ્યાત છે અને તેઓ દરરોજ 10 લાખ રૂપિયાનું દાન કરે છે. તેણે આફ્રિકામાં ઘણા અનાથાશ્રમ ખોલ્યા છે. તેણે આફ્રિકામાં ઘણી શાળાઓ અને કોલેજો ખોલી છે, તે મફતમાં દવાઓનું વિતરણ કરે છે અને ઘણા મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. સમાજ પ્રત્યેના તેમના યોગદાનને કારણે, કેન્યાની સરકારે તેમને તેનું સર્વોચ્ચ સન્માન “એલ્ડર ઑફ ધ બર્નિંગ સ્પીયર” એનાયત કર્યું છે, જે ભારતમાં ભારત રત્નની સમકક્ષ છે.નરેન્દ્ર રાવલ પોતાના જીવનની આત્મકથા પણ લખી છે ગુરુ તે ઈંગ્લીશ અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આખરે આ બુક્સમાંથી જે કમાણી થઈ તે બધી દાનમાં આપી દીધી. ખરેખર આ વ્યક્તિ સદાય ભગવાનની પૂજા અર્ચના કરી સાથોસાથ સમાજસેવા કરી આજે તેનું આ પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!