Gujarat

ગુજરાત અખબાર

થોડા દિવસ અગાવજ એક દુખ દ ઘટના સામે આવી હતી જેમાં એક જ પરીવાર ના પાંચ બાળકો નદી મા નાહવા ગયા હતા એ સમયે ડુબી જવાથી મોત થયા હતા. ત્યા ફરી એક દુખ ભરી ઘટના સામે આવી છે જેમાં એક માતા બે બાળકો ને શાળા એ મુકવા જતી હતી એ સમયે નાળા મા તણાયા હતા જેમા માતા નો બચાવ થયો હતો પરંતુ બે બાળકો ના કરુણ મોત નિપજ્યા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લા ના પાલીતાણા મા ગઈ કાલે રાત્રે સારો એવો વરસાદ વરસ્યો હતો અને નદી નાળા મા પાણી નો પ્રવાહ વધ્યો હતો. ત્યારે પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.

આ ઘટના મા માતા મીનાબહેન નુ એક્ટીવા પાણી મા તણાયું હતુ અને સાથે બે બાળકો અને મીનાબેન પણ તણાયા હતા. જેમા મીનાબહેન નો બચાવ થયો હતો અને બાળકો મા પુત્ર જેઠવા વિનય રાજુભાઈ અને પુત્રી વિનય રાજુભાઈ ના મૃતદેહો મળ્યા હતા.

આ ઘટના ની જાણ થતા જ ફાયરબિગ્રેડને ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. જમા કલાંકો ની જહેમત બાદ બન્ને બાળકો ના મૃતદેહો મળ્યા હતા. અનૈ પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!