.જ્ઞાનપ્રકાશ સ્વામીએ માતાજી અંગે ટીપ્પણી કરતા રોષે ભરાયેલા ભકતો
ગઈ કાલે જ એક વિવાદ સર્જયો છે જેમા એક ગીત મા માતાજી નુ નામ લેવાથી વિરોધ થયો છે વિરોધ થવા નુ કારણ એ છે કે મોગલ મા અને મેલડી મા નુ નામ એક એકટર નાચતી હોય તેમાં લેવામા આવ્યુ છે ત્યારે બીજો એક વિવાદ સામે આવ્યો છે જેમાં એક સ્વામીનારાયણ સાધુ દ્વારા સોશિયલ મીડિયામાં એક સત્સંગનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં માતાજી ભક્તો ની લાગણી ને ઠેસ પહોંચી હતી અને રોષે ભરાયેલા લોકો આ સાધુ ને મળવા પહોંચ્યા હતા અને બાદ મા માર મારવામા આવ્યો હતો.
આ ઘટના અંગે વિગતે વાત કરવામા આવે તો ના જ્ઞાનપ્રકાશ સ્વામીનો સત્સંગ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વિડીઓ મા જ્ઞાનપ્રકાશે માતાજી વિશે એવી એવી ટીપ્પણી કરી હતી કે માતાજી ના ભકતો નુ કહેવુ છે આ વિડીઓ ધાર્મિક લાગણી ના ઠેસ પહોંચે તેવા શબ્દો બોલાયા હતા અને માતાજી નુ અયોગ્ય વર્ણન કરવામા આવ્યુ હતુ.
આ બાબતે 15 થી 20 લોકો જ્ઞાનપ્રકાશ સ્વામી ને મળવા પહોંચયા હતા. અને શરુવાત મા થોડી વાતચીત કર્યા બાદ મારા મારી કરી હતી. આ ઘટના બાદ જ્ઞાનપ્રકાશ સ્વામી એ પોલીસ ફરીયાદ નોંધાવાની તૈયારી દર્શાવી હતી અને સામા પક્ષે પણ પોલીસ ફરીયાદ નોંધાવાની તૈયારી દર્શાવી હતી જયારે બાદ સમાધાન થયુ હતુ અને સાધુ એ સોસિયલ મીડીયા પર થી વિડીઓ હટાવી દેવાની બાહેંધરી આપી હતી.
