વડોદરા : અકસ્માત મા એક સાથે ચાર લોકો નુ મૃત્યુ થતા અંતિમ યાત્રા મા આખુ ગામ હીબકે ચડયું! મરનાર મા એક પરીવાર ના ત્રણ
ઘણા અકસ્માત ના બનાવો એવા બને છે કે આપણુ કાળજુ કંપી જાય ત્યારે આવો જ એક બનાવ બન્યો હતો જેમાં એક સાથે ચાર લોકો એ જીવ ગુમાવ્યા હતા જેમા થી ત્રણ લોકો એક જ પરીવાર ના હતા જયારે તેમની અંતીમ યાત્રા નિકળી ત્યારે આખુ ગામ શોક મા ગરકાવ થયુ હતુ અને કરુણ દૃશયો સર્જાયા હતા.
આ અકસ્માત ની ઘટના ત્યારે બની હતી જયારે સંતરામપુરના ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા ત્યારે અજાણ્યા ટ્રેલર ચાલકે મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે જોરદાર ટક્કર મારી હતી જેથી ઈક્કો કાર પલ્ટી મારી ગઈ હતી અને ઈક્કો કાર મા સવાર ચાર લોકો ના કરુણ મોત નીપજ્યા હતા જેમાથી ત્રણ લોકો એક પરીવાર ના હતા. સંતરામપુર મા જયારે મૃતકો ની અંતીમ યાત્રા એક સાથે નીકળી હતી ત્યારે આખુ ગામ હીબકે ચડયું હતુ. આ ઘટના મા કાળ નો એવો સંયોગ હતો કે
મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે માતાનાં દર્શન કરવા જતા હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારિયા ગયો હતો.
આમ, પ્રથમવાર ગયેલા સંજય બારિયા સહિત એક જ પરિવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય બે લોકો ને ઈજાઓ પહોચી હતી જે હાલ સારવાર હેઠળ છે.