અમદાવાદ ની સિવિલ હોસ્પિટલે વિનામૂલ્યે આપ્યું એક ૪ વર્ષીય બાળકી ને નવજીવન
આ વાત છે અમરેલીના બાબરામાં રહેતા વૈશાલીબેન વડોદિયા કે જેમને એક ૪ વર્ષની પુત્રી નામે વૈભવી છે. કે જે પુત્રી ને વારંવાર પેટમાં અસહ્ય દુખવા લાગતું, અને ત્યારબાદ તેને પેશાબમાં લોહી પડવાની જાણ થતા તેની માતા વૈશાલીબેન એ વૈભવી ને તાત્કાલિક જસદણ માં આવેલી એક બાળકોની હોસ્પિટલ માં લઇ ગયા હતા. ત્યારબાદ તેની તબિયત વધારે ખરાબ હોવાના કારણે અને તેને પેટમાં ગાઠ હોવાની આશંકા ના કારણે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવેલ હતી.
સિવિલ મેડિસીટી કેન્સર ની હોસ્પિટલ અમદાવાદ ખાતે તેની તપાસ હાથ ધરતા તેના સીટી સ્કેન અને ઈન્વેસ્ટીગેશન કરવામાં આવ્યા તે બાળકી ના પેટના સ્કેનમાં બાળકીની ડાબી કિડનીમાં ૧૦૮x૯૩x૯૦ મી.મી સાઈઝ નું મોટું ટ્યુમર હોવાનું સામે આવ્યું, અને સંપૂર્ણ ઈન્વેસ્ટીગેશન થતા બાળરોગ સર્જરી વિભાગના પ્રોફેસર અને હેડ.નામે ડો.રાકેશ જોશી અને એનેસ્થીયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.તૃપ્તિ શાહ ને તેની ટીમ દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી, ત્યારબાદ ટ્યુમર ની બાયોપ્સી બાદ હવે તેના કેમોથેરાપી ના સેશન થશે.
આ તમામ સારવાર માં ખાનગી હોસ્પિટલ માં આશરે રૂ.૮ થી ૧૦ લાખનો ખર્ચો થાય છે. અને આ બાળકીના પરિવાર ની ખુબજ ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ગરીબ પરિવારના બાળકો માટે એક ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ કે જેના દ્વારા આ બાળકી વૈભવી નો જીવ બચી ગયો અને તદન નિશુલ્ક અને વિનામુલ્યે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં તેની સારવાર કરવામાં આવી. આ સેવા વૈભવી જેવા તમામ ગરીબ અને પીડિત બાળકોના પરિવારો માટે રાહતનો શ્વાસ પ્રદાન કરનારું પરિબળ અને આશીર્વાદરૂપ બન્યા છે.
આ શાળા કાર્યક્રમ નો હેઠળ સારવાર લેવા માટે બાળકનું જન્મનું પ્રમાણપત્ર અથવા તેનું આધારકાર્ડ હોવું જરૂરી છે. આ કાર્યક્રમ દ્વારા સમયસરની સારવાર મળતા દેશની ધરોહર સમાન અમુલ્ય બાળકોના જીવન બચાવી શકાય છે.