Gujarat

વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જૂનાગઢ, અંબાજી અને પાવાગઢ ખાતે 24 ઓક્ટોબરે પ્રથમ 100 ને મફતમાં રોપ-વેની સફર કરાવાશે

કોરોના માહામારી સામે સુરક્ષા કવચ રૂપી કોરોના વેક્સિન એ ભારતનાં તમામ લોકોએ લીધી છે, ત્યારે હાલમાં જ ગૌરવપૂર્ણ શાળી ક્ષણ આવી રહી છે. વાત જાણે એમ છે કે, 100 કરોડ ભારતવાસીઓ સંપૂર્ણ પણે રસિકરણથી સુરક્ષિત થઈ ગયા છે, ત્યારે આ દિવસને વધાવવા માટે ઉડન ખટોલા દ્વારા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ખરેખર આ દિવસ ખૂબ જ સરહાનીય બનશે કારણ કે આ દિવસે 100 લોકોને મળશે ફ્રીમાં રોપ-સની સફર.

જૂનાગઢ તેમજ અંબાજી અને પાવાગઢ દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે આ ખુશીનો અવસર છે કારણ કે 100 લોકોને ગિરનાર રોપ વે ની રાઈડ ફ્રીમાં મળશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દેશશવાસીઓને 100 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપી ઐતિહાસિક કામગીરી કરીને ખાસ અવસર બનાવ્યો છે, ત્યારે હાલમાં જ મહત્વપૂર્ણ અને ખુશીનો અવસર બન્યો છે. ઉષા બ્રેકો કંપની આ દિવસેને ખાસ રીતે ઉજવશે.

વાત જાણે એમ છે કે, ઉષા બ્રેકો કંપની દ્વારા ગુજરાતમાં જૂનાગઢના ગીરનાર પર્વત, અંબાજી અને પાવાગઢ ખાતે તા.24ને રવિવારે ત્રણેય સ્‍થળોએ મુલાકાતે આવનારને વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તેવા પ્રથમ 100 પ્રવાસીઓને મફતમાં રોપ-વે ની સફર કરાવશે.આ નિ:શુલ્‍ક રોપ-વે સફરનો લ્‍હાવો લેનાર પ્રવાસીઓએ વેક્સિનના બંન્‍ને ડોઝ લીધાના સર્ટીફીકેટની કોપી સાથે રાખવા જણાવ્યું છે. તેમજ ખાસ નોંધ કે, આ ઓફર ઓનલાઈન બુકીંગ પર માન્ય રહેશે નહીં.

ભારત જ્યારે વિશ્વમાં કોરોના મહામારી માંથી બહાર આવ્યો છે અને પોતાની સ્વદેશી વેક્સિન બનાવી અને સરકાર અને આરોગ્ય વિભાગ તેમજ કર્મચારીઓ દ્વારા દેશના તમામ લોકોને રશી અપાવવીને 100 કરોડ લોકોને રસીકરણ થી સુરક્ષિત કર્યા છે. ત્‍યારે આ કામગીરીને વધાવવા તથા આરોગ્‍ય કર્મચારીઓની કામગીરીને બિરદાવવા સૌ કોઇ દેશવાસીઓ, સંસ્‍થાઓ આા ઐતિહાસિક ક્ષણના વઘામણા કરવા આયોજન કરી રહ્યા છે.સ્વર્ગરૂપી ગિરનાર અને દિવ્ય શક્તિપીઠ આંબાજી તેમજ મહાકાલીમાં માનાં દિવ્ય સાનિધ્યમાં ઉડન ખટોલાની સફર માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!