સુરત : ઘર કંકાસ મા વધુ એક પરીવાર નો માળો વિખાયો ! પત્ની ની આત્મહત્યા અને સાત વર્ષ ની માસુમ
ઘર કંકાસ મા નાનો એવો ઝઘડો મોટુ રુપ ધારણ કરી લે છે અને બાદ મા પરીણામ પણ એટલુ જ ભયાનક આવે છે એમાં પણ હાલ ના સમયે મોટા શહેરો મા આત્મહત્યા ના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક પરિવાર નો માળો ઘર કંકાસ ને લીધે વિખેરાયો છે. જેમા સુરત ના સરથાણા મા રહેતી એક પરીણીતા એ ઘર કંકાસ ને લીધે જીવન ટુકાવ્યું હતુ જ્યારે તેના પતિ બાળકી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો જેમાં બાળકી નુ મોત થયુ હતુ.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના સરથાણા મા રહેતા અને મુળ સૌરાષ્ટ્ર ના જુનાગઢ ના રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પહેલી પત્ની સાથે તલાક થયા હતા અને તેના તેના થી એક પુત્રી જેનુ નામ જીયા હતુ જે સંજયભાઈ સાથે રહેતી હતી. બાદ મા સંજયભાઇ એ બીજા લગ્ન રેખાબેન સાથે કર્યા. જયાર બાદ જીયા ને લઈને અવાર નવાર બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા.
જ્યારે રેખાબેને બુધવારે અનાજ મા મુકવાના ટીકાડા ખાઈ લીધા હતા ત્યારે સંજય ખુબ ડરી ગયો હતો અને પોતાને જેલ થશે એવા ડર થી આત્મહત્યા કરવા જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો. ત્યાં સંજયે હૈયાફાટ રુદન કર્યા બાદ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું.
આ દરમ્યાન મા માછલી પકડવાનું કામ કરતા લોકો એ સંજય ને ડુબતા જોઈ ને બચાવી લીધો હતો અને જીવ બચી ગયો હતો જયારે રેખાબેન નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ અને જીયા નુ પણ ડુબી જવાથી મોત થયુ હતુ. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
સંજયે પોલીસ પુછપરછ મા જણાવ્યું હતુ કે રેખા જીયા ને માર મારતી હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના ઘર કંકાસ નો કરુણ અંત આવ્યો હતો જેમાં એક મહીલા નુ અને સાત વર્ષ ની માસુમ દિકરી જીયા નુ મોત થયુ હતુ.