ભાવનગરના એક સાથે ચાર પોલીસકર્મીનાં મોત થયા ! આરોપીને પકડીને પરત ફરી રહ્યા હતા ત્યારે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ના બનાવોમાં વધારો જોવા મળે છે, આવા અકસ્માતો ના કારણે રોજ હજારો લોકો ઘાયલ થાય છે. જયારે અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જોકે અકસ્માત ણ થાય તે માટે સરકાર અને પ્રશાશન દ્વારા અનેક ઉપાયો કરવામાં આવે છે છતા પણ અકસ્માત ની ઘટનો ઓ વિરામ લેવાને બદલે તેમાં વધારો થતો જોવા મળે છે.
આપણેસૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં પોલીસ તંત્રનું ઘણું મહત્વ છે. પોલીસ સમાજમાં શાંતિ અને સુરક્ષા આપવાનું કામ કરે છે. જેના કારણે લોકો પોતાને સુરક્ષિત મહેસુસ કરે છે. કુદરતી કે કુત્રિમ કોઈ પણ આફતો માં પોલીસ તંત્ર ખડે પગે રહીને લોકોને મદદ કરે છે. આવા પોલસ કર્મીઓ સાચા અર્થમાં હીરો છે.
પરંતુ ઘણું વખત એવા બનવો બને છે કે જેના કારણે આવા સાચા હીરો આપણાથી દુર ચાલ્યા જાય છે. આપને અહી એક આવા જ દુઃખદઅકસ્માત અંગે વાત કરવાની છે કે જેમાં ભાવનગરના ચાર પોલીસ કર્મીએ પોતનો જીવ ગુમાવ્યો છે. આ દુખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત જયપુર જીલ્લાના શાહપુર માં આવેલા ભાબરું નજીક જયપુર દિલ્હી નેશનલ હાઇવે પર સર્જાયો છે. અહી રાત્રીના સમયે એક પોલીસ ની ગાડી અનિયંત્રિત થઈને પાસેના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો જેમાં ૪ પોલીસ ૫ લોકોના મૃત્યુ થયા છે.
જો વાત આ પોલસ કર્મીઓ અંગે કરીએ તો તેઓ ભાવનગર ના પોલીસ વિભાગમાં કાર્યરત હતા અને એક આરોપીને હરિયાણા થી પકડીને ભાવનગર આવી રહ્યા હતા, તેવામાં આ અકસ્માત માં ચારેય પોલીસ કર્મી અને આરોપી નું મૃત્યુ થયું. જો વાત મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓ અંગે કરીએ તો તેમાં શક્તિ સિહ યુવરાજ સિહ ગોહિલ, ભીખુ ભાઈ અબ્દુલ ભાઈ બુકેરા અને ઈરફાન ભાઈ આગવાન, મનસુખ ભાઈ બાલધીયા નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી અને મૃત્યુ પામેલા લોકોને ગાડી માંથી બહાર કાઢીને આગળ ની તપાસ શરુ કરી છે. અને ભાવનગર પોલીસ ને ઘટના અંગે જાણ કરી છે. જે બાદ ગુજરાત પોલીસ માં હાલ શોક નો માહોલ છે.