Gujarat

અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી ! આ તારીખે ભારે પવન સાથે વરસાદ..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં થોડા દિવસો પહેલા જ ચોમાસાની વિદાઈ ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર આંબાલાલ પટેલ દ્વારાએ વરસાદ ને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે,ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હતો.હજુ નવરાત્રી શરૂ થઈ છે, ત્યાં પહેલા નોરતે જ વરસાદ આગમન કરેલ. હવે આગામી ક્યાં દિવસોમાં હજુ વરસાદ આવશે તે અંગે આંબાલાલ પટેલ મહત્વની જાહેરાત કરી છે,ત્યારે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂંકાશે, હવે ચોમાસું પુરુ થવાને આરે છે, આ કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે જ્યારે આગામી 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હવે ચોમાસુ જલ્દી વિદાઈ લઇ એવી સૌ કોઈ ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે કારણ કે જો હજુ પણ વરસાદ વરસે તો નવરાત્રી ની રઝમટ બગાડી શકે છે. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય ન જ કહેવાય.

આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાનાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યાતાઓ સેવી છે. સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થી ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતા પાકને પણ નુક્સાની જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. હવે માંડ ખેડૂતોની સ્થિતિ થાળે પડે છે, ત્યારે ફરી વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!