આર્યન ખાન ની ઘરપકડ ના મામલે શત્રુઘ્ન સિંહા એ એવુ કીધું કે જાણી ને તમા….
હાલમાં થોડા મહિના પહેલા રાજ કૃન્દ્રા જેલમાં ગયો હતો આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે, પરતું આ સિવાય હાલમાં બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યો છે,શાહરુખ ખાનનો દીકરો.ખરેખર આ એક એવી ઘટના છે જેના લીધે બોલીવુડમાં હલચલ મચી ગઇ છે અને તે શાહરુખ ખાનનો દીકરો છે એટલે વધુ ચર્ચાનો વિષય બન્યો છે અને આમ પણ મીડિયા દ્વારા આ વિષયને વધુ રસપ્રદ બનાવીને પીરસે છે, ત્યારે હાલમાં જ બોલીવુડના વરિષ્ઠ અભિનેતા એ શત્રુઘ્નસિન્હા એ શાહરૂખના દીકરાને લઈને એક વાત કરી છે.
શાહરુખના દીકરા અંગે વાત કરતાં શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને માત્ર ડરપોક જ નથી ગણાવી, પરંતુ એમ પણ કહ્યું હતું કે શાહરુખનો દીકરો હોવાને કારણે આર્યનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.ખરેખર આમ જોવા જઈએ તો અનેક કલાકારો શાહરુખ ખાનના પડખે ઉભા છે અને અનેક લોકો તેને સ્પોર્ટ પણ કરી રહ્યા છે, ત્યારે ગર્વની વાત કહેવાય કે, કંઈ રીત લોકો આ ઘટનાને લઈ છે.
આર્યન ખાનને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો, કારણ કે તે શાહરુખનો દીકરો છે.શત્રુઘ્નસિન્હા કહ્યું કે,કોઈ પણ આગળ આવવા માગતું નથી. દરેક લોકો વિચારે છે કે આ બીજાની મુશ્કેલી છે અને તેણે જ આની સાથે ડીલ કરવી જોઈએ. તે લોકો ઈચ્છે છે કે વ્યક્તિ પોતાની લડાઈ જાતે જ લડે. આ ઇન્ડસ્ટ્રી ડરપોક લોકોથી ભરેલી છે. ગોદી મીડિયાની જેમ જ તેઓ ગોદી કલાકાર છે.’એવું કહેવું ખોટું છે કે શાહરુખના ધર્મને કારણે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
જોકે, હા હવે કેટલાક લોકો આ અંગે વાત કરી રહ્યા છે અને તે કોઈ પણ રીતે યોગ્ય નથી. જે કોઈ પણ ભારતીય છે, તે ભારતનો દીકરો છે. બંધારણ હેઠળ તમામ લોકો બરાબર છે.’આપણને ખ્યાલ છે કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ને આર્યનની પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. જો તેની પાસેથી ડ્રગ્સ મળ્યું હોત તો ત્યારે પણ એક વર્ષની સજા થઈ શકે છે, આ કેસમાં આવું કંઈ જ નથી.’ ટૂંકમાં એટલું જ કહેવામાં નું છે મેં માત્ર ને માત્ર આ કેસની લંબાવામાં આવી રહ્યો છે અને તમામ માહિતી એકઠી કરાવમાં આવી રહી.હવે જોવાનું રહ્યું કે આ કેસનું નિવારણ શું આવે!
