દિકરોના મોત બાદ પિતા એ વહુને દિકરીની જેમ લગ્ન કરી ઘરે થી વિદા કરી અને આટલુ ધન ભેટ મા આપ્યુ કે..
જે આપણે વાત કરીશું મધ્યપ્રદેશનાં નરસિંહપૂરગામની જ્યાં એક પરિવારે પોતાની વહુ સાથે જે કર્યું છે, તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી.આપણે જાણીએ છે કે, એક દીકરી જ્યારે પરણીને જાય છે, પોતાના સાસરે ત્યારે પિયર પારકું બની જાય છે અને સાસરું જ તેના જીવનનું અંતિમ સ્થાન બને છે. ત્યારે આ ઘરમાં બન્યું એવું કે, ગામના રેઝર પદથી નિવૃત થયેલ રવિ શંકર નાં દીકરા સંજયનું રોડ અકસ્તમાતમાં મુત્યુ થઈ ગયું હતું. આ જ કારણે પુત્ર વધુ અને તેમની બે પૌત્રીનાં જીવનમાં અંધકાર છવાઈ ગયો
આ કારણે તેમના ઘરમાં દુઃખનાં ડુંગરો આવી પડ્યા હતા અને આ ઘટનામાં થી બહાર નીકળવું ખૂબ જ કઠિન હતું.2008માં દીકરાના લગ્ન થયા હતા અને આજે 11 વર્ષ અને 9 વર્ષની ને દીકરીઓ હોવાને લીધે ઘરના લોકો વિચાર કર્યો તેમની પુત્ર વધુને લગ્ન કરવાનો કારણ જે અત્યારે એકલવાયું જીવન જીવવું ખૂબ જ કઠિન છે અને તમને જાણીને નવાઈ લાગશે.
તેના સસરાએ તેમના માતાપિતા અને ભાઈઓને કહ્યું કે, તેઓ સંબંધ માટે સારો છોકરો ગોતે અને અનેક જગ્યાએ શોધવા છતાં તેમને ક્યાંય યોગ્ય મુરતિયો નાં મડયો ત્યારે આખરે જલબપુરમાં રાજેશ સોનીના નામના વ્યક્તિ સાથે તેના લગ્ન કર્યા.ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે પુત્ર વધુનાં લગ્ન તો કરાવ્યા પરતું સાથો સાથ કરીયાવરમાં ઘણું બધું આપ્યું.
તેમના દીકરાની જે કાર હતી તે વહું નામે કરી આપી તેમજ તેમના દીકરાની આકસ્મિક વીમા પોલિસી ની રકમ 3 લાખ 76 હજાર રૂપિયા તેમજ દાગીના અને બંને દીકરીઓ માટે એફ.ડી પણ કરાવી આપી. રવિ શંકર ખૂબ જ જાણી જોઈને સંબંધ નક્કી કર્યા છે.આ યુવક ને જબલપુરમાં રેસ્ટોરન્ટ છે અને ત્રણ વર્ષ પહેલા જ તેમની પત્નીનું મુત્યુ થયું હતું અને તેમને ત્યાં કોઈ સંતાન નથી.ખરેખર આવું તમને ભાગ્યે જ જોવા મળે.
