સેવાભાવી સંત શ્રવણગીરી મહારાજ વૈકુંઠવાસી થતા ભક્તો મા દુખ ની લાગણી ફેલાઈ
હાલમાં જ એક એવી દુઃખદ ઘટના બની છે, જેના લીધે ભક્તજનોમાં દુઃખની લાગણી વર્તાય ગઈ છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે અને જેના પગલે ભક્તજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં જ્યારે નવરાત્રિનું અવસર ચાલી રહ્યું છે,ત્યારે આ શુભ દિવસે જ એક દુઃખ દાયક ઘટના બની જેના લીધે સમગ્ર પાલનપુરમાં ગ્રામજનોની આંખમાં દુઃખના આંસુઓ છલકાઈ ગયા છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે આવેલ બળદેવ મંદિરના શ્રી શ્રવણગીરી મહારાજ સોમવારને આસો સુદ-6ના રોજ છઠ્ઠા નોરતે બ્રહ્મલીન થતા તેમના ભાવિભક્તોમાં બહુ મોટો આઘાત લાગ્યો છે. પરમ દિવસે જ તમામ ભક્તોજનોએ તેમના અંતિમ દર્શનની શોભાયાત્રામાં જોડાયા હતા.
બલદેવજી મંદરથી નીકળી ટાકરવાડા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર થઇ પૂર્ણ પરીક્રમા સ્વરૂપે બળદેવજી મંદિર પરત આવી ખરેખર દરેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે ભક્તિ જનોએ સંતો મહતોની હાજરીમાં તેઓને સમાધિ આપવામાં આવી હતી દ્રશ્ય નિહાળીને દિવ્યતા અનુભવાઈ! સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પૂૂ.શ્રવણગીરી મહારાજે ટાકરવાડામાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સેવાઓમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હ્તુમ
બળદેવજી મંદિરની જગ્યાએ પહોંચી ત્યાં ગામ લોકોના સહયોગથી માતબર દાન મેળવી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. બાપુએ તન મન અને ભક્તિની સાથે જ તેમને મંદિરને કર્મભુમિ બનાવી હતી. તમને જાણીને નવાઈ લાગશેનકે તેઓ સ્વભાવે થોડાક ઉગ્ર હોવા છતાં મંદિરના વિકાસથી સૌ ગ્રામજનોના દિલમાં એમના પ્રત્યેનો ભાવ અનન્ય આદરભાવ અને લાગણી ભરપૂર હતી. સદાય તેમણે પોતાનું જીવન લોક સેવામાં અને મંદિરના વિકાસમાં સમર્પિત કર્યું હતુઁ
તમમાં ભક્તોન્ક તેમના પ્રત્યેનો પ્રેમ એ દેખાય આવે છે જ્યારે ભક્તો જનોને તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.આ યાત્રામાં યુવાનો, મહિલાઓ, આગેવાનોની હાજરી જ એમના પ્રત્યેની સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ હતું.ખરેખે તેમની વિદાય થિ કદી ના પુરી શકાય તેવી ખોટ સદાય વર્તાશે. એ વાત તો ક્યારેય નહિ ભુલાઈ કે મહાન સંતો ક્યારેય મુત્યુ નથી પામતા તે સદાય તેમના દિવ્ય આત્માની શાંતિ મળે છે. ખરેખર તેમનું વૈકુંઠ ધામમાં ગમન એ તેમને હરીન ચરણોમાં વાસ આપે અને તેમની દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એજ પ્રાર્થના.
