ગુજરાતી ફિલ્મમાં થી ગાયબ થયેલ અરુણા ઇરાની હાલમાં જીવે છે આવું જીવન! જાણો ક્યાં છે…
ગુજરાતી સિનેમા 90 દાયકા ની અભિનેત્રી લ અરુણા ઈરાનીએ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેમને ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે અને ઘણા ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય કલાકાર તરીકે પણ અભિનય કરેલો છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. પેટ પ્યાર ઔર પાપ (૧૯૮૫) અને બેટા (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં આપવામાં આવ્યો હતો. તેમના જીવનની વાતો જાણીએ.
અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કરેલ અને પોતાનું લગ્ન જીવન ખૂબ જ સુખી રીતેજીવી રહ્યા. ખરેખર અરુણા ઇરાની ગુજરાતી ફિલ્મો તેમજ બોલીવુડમાં અને ટેલિવિઝનમાં આમ ત્રણે ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જગતભરમાં તેમને પોતાની લોકપ્રિયતા મેળવી. તેમના જીવનની અભિનય ની સફર પર એક નજર કરીએ.
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાંઅભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ઔલાદ (૧૯૮૧), હમજોલી (૧૯૭૦) અને નયા જમાના (૧૯૭૧)માં અભિનય કર્યો હતો. ગુજરાતી ચલચિત્રો સંતુ રંગીલી (૧૯૭૩), મારે જાવું પેલે પાર (૧૯૭૮) ચલચિત્રોમાં ઉપેન્દ્ર કુમાર અને સંજીવ કુમાર સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી.
૧૯૮૪માં તેણીએ પેટ પ્યાર ઔર પાપ માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાં તેણીએ મોટાભાગે ‘મા’ ના પાત્રોમાં અભિનય કર્યો. ખાસ કરીને બેટા (૧૯૯૨)માંના અભિનયે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. તેમણે ફિલ્મો છોડીને પાછળથી ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરુ કર્યું. જેમાં તેમની ભૂમિકાઓ લોકપ્રિય રહી અને ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ વાર્ષિક ફિલ્મફેર સમારંભમાં તેણીને ‘લાઇફટાઇમ એચિવમેટન્ટ પુરસ્કાર’ પ્રદાન થયો હતો. હાલમાં તેઓ અભિનય સાથે જોડાયેલ છે. તમને જાણીને નવાઇ લાગશે કે અરુણા ઇરાની અને ફિરોઝ ઇરાની ભાઈ બહેન છે.હાલમાં તેઓ હજુ પણ અભિનય સાથે જોડાઈ ને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.મુંબઈમાં જ પોતાના પરિવાર સાથે રહે છે.