સુરતના Bsc મા અભ્યાસ કરતા આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
રાજય મા રોજ આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ખાસ કરી ને યુવા વર્ગ કોઈ ને કોઈ બાબત ને લઈ ને મુજાઈ છે અને આત્મ હત્યા કરી લે છે ત્યારે આ એક ગંભીર બાબત છે ત્યારે સુરત મા ફરી એક આત્મ હત્યા નો બનાવ સામે આવ્યો છે જેમાં એક BSc ના વિદ્યાર્થી એ ગળાફાસો ખાઈ ને પોતાનુ જીવન ટુકાવ્યું છે. આ ઘટના સુરતમા બની હોય તેવુ સામે આવ્યુ છે.
આ અંગે જાણવા મળતી વિગતો સુરત ના પી.ટી સાયન્સ કોલેજના Bscના ત્રીજા વર્ષના અભ્યાસ કરતો જીતેશ નામના વિદ્યાર્થીએ પોતાના રુમ મા જઈ ને પંખા સાથે ગળા ફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું છે આ ઘટના ત્યારે બની જ્યારે ફરીવાર ના સભ્યો કોઈ પ્રસંગ મા ગયા હતા અને ઘરે કોઈ નહોતું જેથી જીતેશ ના મોત અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઉપરાંત ભણવામાં હોશીયાર હતો અને પરીક્ષાના દિવસે જ આવી ઘટના બની હતી.
જીતેશ પરીવાર નો બીજા નંબર નો સંતાન હતો અને જીતેશ ના પિતા સંચા ના કારીગર છે અને જાતે એકાઉન્ટ પણ લખે છે જયારે ઘર ના સભ્યો રવીવારે સગાઈ ના પ્રસંગ મા ગયા હતા ત્યારે જીતશને પરીક્ષા હોવાથી તે સાથે ગયો નહોતો ઘરે જ વાંચવા રોકાયો હતો પરીવાર જ્યારે પરત આવ્યો ત્યારે દવાજાનો બેલ વગાડવ્યો હતો પણ દરવાજો ન ખોલતા બારી માથી જોયુ તો જીતશ પંખા સાથે લટકેલી હાલત મા હતો.
જીતેશ ને પંખા સાથે લટકેલી હાલત મા જોઈ ને ઘરના સભ્યો એ દરવાજો તોડી જીતેશ ને નીચે ઉતારી તાત્કાલીક સ્મીમેર ખાતે ખસેડવામાં આવ્યો હતો જયા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે જીતશે નો મોબાઈલ કબ્જે કર્યો છે અને આત્મહત્યા કરવાનુ સાચુ કારણ સામે આવ્યુ નથી જ્યારે જુવાન દિકરાના મોત થી પરીવાર શોક મા ગરકાર થય ગયો છે.