વૈભવશાળી જીવનનો ત્યાગ કરી 72 લોકો લેશે દીક્ષા! મુખ્યમંત્રીશ્રીને આ અવસરે આપ્યું આમંત્રણ…
લખ ચૌર્યાસી ફેરા ફરીએ ત્યારે આખરે માણસને મોક્ષ મળે છે. આ જિવનમાં વ્યક્તિ જ્યારે જન્મ છે, ત્યારે તેની સાથે સંસારની અનેક સમસ્યાઓનું સર્જન થાય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, મનુષ્ય સાંસારિક જીવનનો ત્યાગ કરીને.સયમનાં માર્ગે ચાલી નીકળે છે.જેમાં સૌથી મહત્વનો ફાળો જૈન સમુદાય નો છે, જેમાં અનેક લોકો ભૌતિક સુખોનો ત્યાગ કરીને સંયમનાં માર્ગે ચાલી નીકળે છે.હાલમાં જ એક ઘટના બનવા જઇ રહી છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,અમદાવાદ શહેરમાં જૈન સમાજના દીક્ષા સમારોહ યોજવવા જઇ રહ્યો છે,જેમાં અમદાવાદ શહેરમાં 24 ઓક્ટોબરે ઐતિહાસિક ઘટના બનવાની છે. એ ઘટના એટલે 72દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રાના સાક્ષી બનશે અને આ સૌ કોઈ પોતાનું જીવન ત્યાગ કરીને સંયમ માર્ગે ચાલી નીકળશે.
આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અમદાવાદ શહેરના જૈન સમાજના લોકો બનશે સાથે અનેક હિન્દૂઓ તેના સાકી બનશે.સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેડમાં આગામી મહિને 29 નવેમ્બરે એક જ મંડપમાં 72 દીક્ષાર્થીઓ ભૌતિક સુખનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે.
લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચે 72 મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ ધારણ કરીને ગુરૂ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરશે. વેશ પરિવર્તન કરીને વધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવશે.આ દીક્ષા કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં 24 ઓક્ટોબરે ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે.આ કાર્યક્રમના ભાગરૂપે મુમુક્ષોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને આમંત્રણ પાઠવ્યું હતું.