Entertainment

નટુકાકા એ અંતિમ દિવસો કેવી રીતે વિતાવ્યા એ દિકરા એ જણાવ્યું ! હોસ્પીટલ જતા પહેલા આ સિરીયલ જોઈ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા સૌના લોકપ્રિય નતુકાકા આ દુનિયામાં નથી રહ્યા.તેમને રંગભૂમિ અને અભિનયની દુનિયામાં ઘણું બધું યોગદાન આપ્યું છે,જેને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. હાલમાં જ નટુકાકા વિશે એક મહત્વની વાત સામે આવી છે. સૂત્ર દ્વારા હાલમાં જ જાણવા મળ્યું છે કે,નટુકાકા એ અંતિમ દિવસો કેવી રીતે વિતાવ્યા એ દિકરા કહ્યું તેમજ હોસ્પીટલ જતા પહેલાકંઈ સિરીયલ જોઈ તમામ વાતો જણાવવી.

આપણે જાણીએ છે કે, એક વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના દીકરા વિકાસ કહ્યું કે,પપ્પા ગુજરી ગયા પછી શરૂઆતના 2-3 દિવસ તો કંઈ જ ખબર પડતી નહોતી કે શું કરું. છેલ્લાં એક વર્ષથી અમે સાથે મળીને તેમની કેન્સરની બીમારી સામે લડતા હતા.

નટુકાકા છેલ્લે છેલ્લે એમ જ કહેતા કે જે દિવસ મરીશ, તે જ દિવસે મને મોક્ષ મળી જશે. તે બહુ જ પોઝિટિવ હતા અને અમને એમ જ કહેતા કે મને કંઈ થઈ જાય તો તમે રડતા નથી. શોક વ્યક્ત ના કરતા. તેઓ માનતા કે તેમણે આખું જીવન બધાને હસાવ્યા છે તો તેમના ગયા બાદ કોઈએ રડવું જોઈએ નહીં.’

નટુકાકા મજાકમાં કહેતા કે તે 100 વર્ષ સુધી જીવવા માગે છે, પરંતુ આમ થયું નહીં. જુલાઈ 2021માં જ્યારે અલ રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈ જેટલી પણ ટ્રીટમેન્ટ કરાવી તે બધી જ નિષ્ફળ રહી. અમે કિમોથેરપી પણ બંધ કરી દીધી હતી. આયુર્વેદિક તથા હોમિયોપેથી સારવાર શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં.

ડોકટર કહ્યું હવે જાજો દિવસ નથી એટલે તેમને કહ્યું કે હવે જીવનથી ઘણો જ સંતોષ છે. તે એ વાતથી ખુશ હતા કે તેમની ટ્રીટમેન્ટ હવે બંધ થઈ જશે. તે નહોતા ઈચ્છતા કે જીવનમાં ક્યારેય તેમને ટ્યૂબથી ભોજન લેવું પડે. લાચાર થાય તે પહેલાં જ તેમણે વિદાય લઈ લીધી.’તેમને સંગીતનો ઘણો જ શોખ હતો. અંતિમ ક્ષણોમાં તેમણે રેડિયોમાં ગુજરાતી ગીતો ઘણાં જ સાંભળ્યા હતા.

પછી ગુજરાતી શો ‘રાશિ રિક્ષાવાળી’ તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક પણ એપિસોડ મિસ કર્યો નથી. તે શોમાં નહોતા છતાં આ સિરિયલ જોતા હતા. તેમણે સિરિયલનો ગણેશ ચતુર્થીનો સ્પેશિયલ એપિસોડ જોયો હતો અને ટીમના વખાણ કર્યા હતા. અમે 29 સપ્ટેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, 28મી રાત્રે તેમણે આ શો જોયો હતો. તે શોમાં પરત ફરવા માગતા હતા. મેકઅપની સાથે જ વિદાય લેવા માગતા હતા અને અમે મેકઅપ આર્ટિસ્ટ બોલાવીને તેમની આ ઈચ્છા પૂરી કરી હતી.ખરેખર નટુકાકા ખૂબ જ સારું અને મોંઘેરું જીવન જીવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!