Sports

ભુતપુર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ-ઉલ-હકે ભારતીય ક્રિકેટ ટીમ વિશે આવુ કહી દીધુ…

ચેન્નઈ ની જીત સાથે આઈ પી એલ સમાપ્ત થઈ અને હવે world cup ની અભ્યાસ મેચો પણ ચાલુ થઈ ગઈ જેમા ભારતે ઓસ્ટ્રેલીયા ને આસાની થી હરાવી દીધુ હતુ જયારે પાકિસ્તાન આફ્રીકા સામે ની અભ્યાસ મેચ હારી ગયુ હતુ આગામી 24 ઓક્ટોબરે ભારત અને પાકીસ્તાન વચ્ચે મેચ રામાવાની છે ત્યારે સૌ કોઈ લોકો ની નજર આ મેચ પર છે અને મેચ અગાઉ અનેક ક્રિકેટરો ના બયાન સામે આવ્યા છે.

જેમા ભુતપુર્વ ક્રિકેટર અને પાકીસ્તાન ટીમ ના કેપ્ટન રહી ચુકેલા ઇન્ઝમામ-ઉલ-હકનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર છે તેમણે તેની યુ ટયુબ ચેનલ પર જણાવ્યું હતુ કે કઈ ટીમ world cup નો ખિતાબ જીતશે એ ચોક્કસ પણે ન કહી શકાય પરંતુ UAE અને ઓમાન મા ભારત ને રમવાથી ફાયદો થશે અને ભારત પાસે આ ટૂર્નામેન્ટ જીતવાની અન્ય ટીમો કરતાં વધુ તકો છે, કારણ કે તેમની પાસે T-20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ છે.

આ ઉપરાંત ઇન્ઝમામ કહ્યુ હતુ કે ઓસ્ટ્રેલીયા સામે ની મેચ મા રન ચેસ કરવા માટે વિરાટ કોહલી ને બેટીંગ કરવાની જરુર નહતો આ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈન્ડિયન ટીમના બેટર કેટલા વિસ્ફોટક છે.

આ ઉપરાંત જો ભારતીય ટીમ ની વાત કરવામા આવે તો ભારતે બન્ને પ્રેકટીસ મેચ જીતી છે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે અને બીજી ઓસ્ટ્રીયા સામે અને હવે સૌ ની નજર 24 ઓક્ટોબર ના રોજ ભારત આને પાકીસ્તાન વચ્ચે ની મેચ પર છે. અને કોરોના મહામારી ને લીધે ટેનામેન્ટ નુ આયોજન ભારત ની જગ્યા એ UAE મા થય રહ્યુ છે પરંતુ BCCI જ હોસ્ટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!