Entertainment

જુઓ મહાભારતના કલાકારો આજે આવા લાગ છે, જીવે છે આવું જીવન..

આપણા હિન્દૂ ધર્મમાં મહાભારત અને રામાયણમાં એ માનવ જીવનના ઉત્તમ સાર છે જે માણસ ને જીવનમાં શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આ બે મહા કાવ્યમાંથી શીખવા મળે છે.આજે આ બે મહાકાવ્યો જે જાણીએ છે અમે સમજીએ છે તેઓ સૌથી મોટો હાથ રામાનંદ સાગર અને બી.આર ચોપડા નો છે જેમણે અતિ પવિત્ર આ બે મહાકાવ્યોને ધારાવાહિક રૂપે પ્રસારીત કર્યા અને લોકોને આપના ધર્મ નાં મહાન કાવ્ય ની કથા ને જીવંત રૂપ આપ્યું જેને માત્ર આપણે વાંચેલું હતું અને સાંભળેલું હતું પરંતુ આજની પેઢી એ તેને નિહાળ્યું પણ ખરું

ખાસ કરીને આજે આપણે મહાભારત સિરિયલ સાથે જોડાયેલ કલાકારો વિશે જાણીશું જેઓ આજે કેવું જીવન વિતાવી રહ્યા છે.તેમને ભજવેલ પાત્રો તો ખૂબ જ અમર બની ગયા અને લોકો તેમને એ જ નામે ઓળખે છે પરંતુ આજે તેઓ એટલા બદલાઇ ગયા છે, કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે તેઓ શુ કરી રહ્યા છે અને ક્યાં ક્ષેત્રમાં કાર્યરત છે.

મુકેશ ખન્ના: મુકેશ ખન્નાએ મહાભારતમાં દેવવ્રત ભિષ્મ ઉર્ફ ભિષ્મપિતામહનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તેઓ માત્ર 30 વર્ષના હતા. અત્યારે તેઓ 62 વર્ષના છે અને છેલ્લા થોડાક સમયથી સોશ્યલ મીડિયા પર થોડાક એક્ટિવ પણ છે.

નિતિશ ભારદ્વાજ: મહાભારતનું સૌથી લોકલાડીલું પાત્ર એટલે કૃષ્ણ મહાભારતમાં આ પાત્ર નિતિશ ભારદ્વાજે ભજવ્યું હતું. કહેવાય છે કે , કૃષ્ણના પાત્રને સમજવા માટે નિતિશે સાહિત્ય અને પુસ્તકોનું બહુ વાંચન કર્યું હતું. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે જોડાયા હતા અને રાજકારણમાં સક્રિય થયા હતા.

રૂપાલી ગાંગુલી: પાંડવોની પત્ની દ્રોપદીનું પાત્ર રૂપાલી ગાંગુલીએ ભજવ્યું હતું. અભિનેત્રી ટેલિવિઝન ક્ષેત્રે પણ એટલા જ સક્રિય હતા. એટલું જ નહીં ગાયિકા તરીકે પણ રૂપાલી સફળ કારર્કિદી ધરાવે છે. તેમણે બંગાળી ફિલ્મ ‘આભોશેષેય’ માટે બેસ્ટ પ્લેબૅક સિંગરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. અત્યારે તેઓ મધ્ય પ્રદેશ ભાજપમાં છે

.

અર્જુન ફિરોજ ખાન: કોઈપણ કલાકારને આખી દુનિયા પોતાના પાત્રના નામથી ઓળખે તેનાથી વિશેષ અનુભિતિ બીજી કોઈ જ ન હોઈ શકે. આવું જ કંઈક બન્યું છે મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર અભિનેતા ફિરોઝ ખાન સાથે. અર્જુન ફિરોઝ ખાનને બૉલીવુડની 90ના દશકની અનેક ફિલ્મોમાં વિલન તરીકે લોકોએ જોયા છે.


ગુફી પેંટલ: ગાંધારીના ભાઈ અનેશકુની મામાનું પાત્ર ભજવ્યું હતું ગુફી પેંટલે. મહાભારત બાદ અભિનેતાએ પૌરાણિક કથાઓ પર આધારિત અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો. ખરેખર મહાભારતમાં શકુની નું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે, ભાગ્યે જ તેમના પાત્ર ને કોઈ ભૂલી શકે છે.આજે તેઓ અભિનય ક્ષેત્ર છે પણ આ પાત્ર સિવાય લોકપ્રિયતા નહિ મળી.

પુનિત ઈસ્સાર: કૌરવોના જ્યેષ્ઠ ભાઈ દુર્યોધનનું પાત્ર ભજવનાર અભિનેતા પુનિત ઈસ્સારને સહુથી પહેલા પાંડુપુત્ર ભીમના પાત્રની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ બીઆર ચોપરાને ભાર આપીને કહ્યું હતું કે, તેણે દુર્યોધનનું પાત્ર ભજવવું છે. ત્યારે બીઆર ચોપરા એ શરતે રાજી થયા હતા કે જો કોઈ બીજો કલાકાર મળશે ભીમના પાત્ર માટે તો જ તેમને દુર્યોધનનું પાત્ર ભજવવા દેવામાં આવશે. ખરેખર આ તમામ કલાકારોને આજે સૌ કોઈ તેમના પાત્ર થી ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!