ગુજરાતી ખબર
આજના સમયમાં ખરેખર માનવતા જેવું કંઈ રહ્યું જ નથી!
સમાચારોમાં આપણે જાણતાં હોઈએ છીએ કે, ક્યારેક કોઈ પોતાના બાળક ને રસ્તે રજડતું કરી દે છે. ક્યારેક કોઈ વ્યક્તિ બીજાના બાળક નું અપરહરણ કરી લેતા હોય છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ શરમ જનક છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘટના ખૂબ જ શરમ જનક અને ચેતવણીરૂપ સમાન છે.
હાલમાં જ એક ઘટના લીધે ફરી જનતા ચોંકી ગઈ છે, હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલ બાળક બિહારમાંથી મળી આવ્યું અને આ બાળક અહીંયા કેમ પોહચ્યું એ જાણશો તો તમને આશ્ચસ્ય થશે.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.
આ સમર્ગ ઘટનામાં બન્યું એવું કે તસ્કદોએ બાળકને આર્મી પરિવારના નિઃસંતાન દંપતીને 4 લાખ રૂપિયામાં વેચી દીધું હતું અને આ કેસમાં 6 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.લીલોરા ગામના રહેવાસી પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા.
આ દરમિયાન 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યા હતા. સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે.બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે આર્મી પરિવારના દંપતીએ જોઈતું હતું કારણ કે 13 થી એમને ત્યાં સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. એક રીતે તેઓ સંતાન સુખ માટે આ પગલું ભર્યું પણ કોઈ મા પાસેથી સુખ છીંનવું એ ગુન્હો છે.