વિઠ્ઠલ રાદડીયાએ પુત્રના અવસાન બાદ પુત્રવધૂને દીકરી ગણી કન્યાદાન મા આટલી સંપતિ…
આ જગતમાં સૌથી વધારે કંઈ મહત્વનું હોય તો તે છે, માનવતાનો ધર્મ! પોતાના માટે જીવન જીવવું એના થી વિશેષ બીજા ને સમર્પિત કરીને પોતાનું જીવન જીવવું એ ખૂબ જ મોટી વાત છે, ત્યારે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, આજે અમે આપને એવી જ ઉત્તમ માનવતા વિશે જણાવીશું! એક એવા જ વ્યક્તિ જેમણે અનેક ખેડૂતોઓનું જીવન ખૂબ જ ઉજ્જવળ બનાવ્યું છે. આજે આપણે તેમના જીવનની એક ખાસ વાત કરીશું. વિઠ્ઠલ રાદડીયાએ પુત્રના અવસાન બાદ પુત્રવધૂને દીકરી ગણી કન્યાદાન માં એટલી સંપત્તિ આપી કે,તમને જાણીને ગર્વ થશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિઠ્ઠલ રાદડિયા પોતાનું જીવન સદૈવ લોક સેવામાં સમર્પિત કરેલું છે! આટલું જ નહિ પણ તેમને પોતાના પરિવાર માટે સારું કામ કર્યું છે જે સમાજ માટે ખૂબ જ સારો સંદેશ બન્યો છે.જ્યારે તેમના યુવાન પુત્રનું મૃત્યુ થયું ત્યારે બાદ તેઓએ પોતાની પુત્રવધૂને દીકરી ગણી લીધી હતી એટલું જ નહીં એક બાપ દીકરીને પણ આવે અને તેનું કન્યાદાન કરે તે જ રીતે વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું હતું આમ તેઓએ સમાજ માટે એક શ્રેષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.
શિક્ષણની પ્રવૃત્તિ તેઓએ એક આંદોલનની જેમ આગળ ધપાવી હતી. તેઓ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા સ્થાપી હતી. અનેક ટ્રસ્ટમાં તેઓ સેવા આપતા હતા સૌથી સારામાં સારૂં તેમનું કાર્ય દીકરીઓને ભણવા માટેનું હતું. તેમના પ્રયત્નો બાદ જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીકરીઓને ભણાવવા માટેનું મહત્વ સમજાયું હતું.ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, તેમને કેટલી સંપત્તિ કન્યા દાનમાં આપેલ.
ખરેખર તેમનો સ્વભાવ ખૂબ જ ઉમદા છે! પોતાના જીવનમાં તેમને સદાય સદાચાર અને પ્રેમભાવ રાખેલ. પોતાની પુત્ર વધુને દીકરી ગણીને વહાલસોય સાથે તેની વિદાય કરીને એક શ્રેષ્ઠ સંદેશ આપ્યો.વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધુ મનીષાને પોતાના પુત્રના નિધન બાદ દીકરી ઘણી લીધી હતી તેમજ પુત્રના અવસાન બાદ જામકંડોરણા નજીક આવેલા એક ગામમાં જ રહેતા હાર્દિક ચોવટીયા નામના યુવાન સાથે મનીષાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા.
આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી 100 કરોડથી વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી આમ તેઓ એ સમાજમાં એક ઉમદા અને મોટું દ્રષ્ટાંત પૂરૂં પાડ્યું હતું.ખરેખર આ પળ ખૂબ જ પ્રેરણાત્મક તેમજ જીવનમાં એ સંદેશ આપ્યો કે, તમે તમારી પુત્રવધુને દિકરી થી વિશેષ દરજ્જો આપો!