Gujarat

રાજકોટ : અકસ્માત મા મૃત્યુ પામેલ દાદા દાકરી માટે પરીવારે એવો નિર્ણય લીધો કે મૃત્યુ બાદ પણ દુનીયા જોઈ શકશે…

તારીખ 13 નવેમ્બર ના રોજ લીંબડી નેશનલ હાઈ વે પર એક ગંભીર અક્સમાત ની ઘટના બની હતી જેમા એક ટ્રક ચાલક જનસાળી પાસે રોડ નુ કામ ચાલુ હોવાથી રોંગ સાઈડ મા કામ ચલાવ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામે થી આવતી કાર ટ્રક ધડાકા ભેર ટ્રક સાથે અથડાઈ હતી. જેમા કાર મા સવાર દાદા દાદી ને એક માસુમ પૌત્રી નુ મોત નીપજ્યું હતુ.

આ ઘટના મા મૃતક પરિવાર રાજકોટ દિવાળી ની રજા ગાળવા ગયા હતા અને પરત તેવો અમદાવાદ ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અક્સમાત નડ્યો હતો. તેવો ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા જેનુ નામ બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા જાણવા મળ્યુ હતુ.

અકસ્માત મા કાળ નો ભોગ બનેલા મૃતકોની લાશ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી. ત્યારે તેમનાં પરિવારજનોએ મૃતકોનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમા મૃતક દાદા અને પૌત્રી ની ચક્ષુ દાન કરવાનો નિર્ણય બાળકીના માતા-પિતાએ કર્યો હતો. તેમણે લીંબડી હોસ્પિટલમાં ચક્ષુદાન કર્યું હતું.

મૃતક બાળકીના પિતા અને મૃતક આધેડના દિકરા વિજયભાઈ અને તેમના પત્ની નિલમબેન દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની હાજરીમાં દાદા અને પૌત્રીનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. લીંબડી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓએ મૃતકોના પરિવારજનોની આ આ ચક્ષુદાનના નિર્ણયને આવકારી સરાહના કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!