Entertainment

ગોલમાલમાં પેટ પકડી ને હસાવનાર સંજય મિશ્રા ને એક વખત રેસ્ટોરન્ટ માં આમલેટ બનાવવા નો વારો આવ્યો હતો.

બોલીવુડ ના ઘણા બધા એકટરો એવા છે કે, તેણે તેના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે, અને તે પોતાના મુકામ એટલે લક્ષ્ય સુધી પહોંચ્યા છે. અને ઘણીવાર બોલીવુડ ક્ષેત્ર માં સફળતા તો ઘણીવાર નિષ્ફળતા પણ મેળવેલી છે. તેવીજ આજે એક બોલીવુડ કલાકાર ની વાત કરીએ તો બોલીવુડ ફિલ્મો માં સાઈડ રોલ અને હાસ્ય શૈલી માં ખુબજ મહત્વનો રોલ કરતા સંજય મિશ્રા ની વાત કે જેઓએ પોતાના જીવનમાં ખુબજ સંઘર્ષો કરેલા છે.

સંજય મિશ્રા નો જન્મ વર્ષ ૧૯૬૩ માં થયો હતો. તેમનો ઉછેર બિહારમાં મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. અને તેમણે બોલીવુડ માં વર્ષ-૧૯૯૫ માં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમની સૌથી પ્રથમ ફિલ્મ ની વાત કરીએ તો વર્ષ-૧૯૯૫ માં તેમણે ફિલ્મ “oh Darling ! Yeh Hai India ! માં કામ કર્યું, હતું. તેમણે મોટાભાગે કોમેડી ફિલ્મોમાં અભિનય કરેલો છે, અને ઘણી તેમણે એવી પણ ભૂમિકા ભજવી છે કે જેમાં તેમણે દર્શકો ને ભાવુક પણ કરી દીધા છે. અને તેમણે એક ફેમસ સીરીયલ “ઓફીસ ઓફીસ” માં પણ કામ કર્યું છે, તેમાં પણ તેમણે ખુબજ સારો અભિનય કરેલો છે.

સંજય મિશ્રા ના સંઘર્ષ ની વાત કરીએ તો એક ઢાબા માં રૂ.૧૫૦ ના પગાર પર કામ કરતા હતા.તેમણે વર્ષ-૧૯૯૧ અને ૧૯૯૯ ના સમય દરમિયાન તમામ બાબતોમાં હાથ અજમાવ્યો હતો. લાઈટીંગથી લઈને આર્ટ ડીરેક્શન અને કેમરાવર્ક પણ કર્યું છે. તેમેણે ફોટોગ્રાફી કરીને પણ કમાણી કરી છે, અને તે એ સમયમાં વડાપાવ ખાય પોતાનું પેટ ભરતા હતા.

“ઓફીસ ઓફીસ” સીરીયલ ના શુટિંગ દરમિયાન સંજય મિશ્રા ની તબિયત ખુબજ ખરાબ રહેતી હતી, તેના લીધે તેમને ઘણીવાર હોસ્પીટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની એક સર્જરી કરવામાં આવી, અને ત્યારબાદ અચાનક તેમના પિતાનું અવસાન થયું હતું, આ સમાચાર થી તેમને ખુબજ આઘાત લાગ્યો હતો. અને તે ત્યારબાદ બોલીવુડ માં કામ કરી શક્યા ન હતા. આ દુખદ ઘટના બાદ તેઓએ બોલીવુડ માં કામ કરવાનું છોડી દીધું, અને નવાઈ ની વાત તો એ છે કે ત્યારબાદ  તેઓ ઋષિકેશ ખાતે એક હોટેલમાં આમલેટ વેચતા હતા. કારણ કે તેમના પિતા નું અચાનક અવસાન થતા તેઓ પડી ભાંગ્યા હતા.

તેમના લગ્ન જીવન ની વાત કરીએ તો તેમાં પણ તેમણે તેમના પ્રથમ લગ્ન જીવન અસફળ રહ્યા હતા. તેમના પ્રથમ લગ્ન તૂટી જતા તેઓ બીજા લગ્ન કરવાની નાં પડતા હતા, અને  તેમના માતાના ખુબજ કહેવાથી તેમણે કિરણ નામની યુવતી સાથે સાથે લગ્ન કરેલા હતા. અને હાલ તેમને બે પુત્રીઓ છે, તેમના  નામ પલ અને લમ્હા નામ છે.

પરંતુ તેમની સારી આદકારી અને કલાકારી ને જોઇને બોલીવુડ ના ડીરેક્ટર રોહિત શેટ્ટી તેમને ફિલ્મ જગતમાં ફિલ્મ “ઓલ ધ બેસ્ટ થી પાછા લાવ્યા હતા. અને ત્યારબાદ તેમણે ઘણી બધી સારી ફિલ્મો માં કામ કરી દર્શકો ને મોહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!