‘હું પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું’, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ કહ્યું આવુ?
આપણે સૌ જાણીએ છીએ કે રાજય ના નવા ગૃહ રાજ્ય મંત્રી થી હર્ષ સંઘવી એ ખુબ ઓછા સમય મા એક યુવા લીડરશીપ નુ ઉદાહરણ પુરુ પાડયું છે ત્યારે તાજેતર મા જ એક નીવેદન થી તેવો ચર્ચા નો વિષય બન્યો છે જેમાં તેવો એ એવુ કીધું કે હું પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું’, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ કહ્યું આવુ? તો આવો જાણીએ આ બાબતે.
તાજેતર મા જ પાટણ ખાતે માતૃતર્પણ તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અને આ કાર્યક્રમ નો પ્રારંભ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી ના હસ્તે કરવામા આવ્યો હતો. અને આ કાર્યક્રમ નુ આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવા આવ્યુ હતુ. અને અનેક અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમા કાર્યક્રમ દરમ્યાન રાજય મંત્રી હર્ષ સંઘવી હળવા મુડ મા હતા અને એક મજાક કરી હતી.
રાજ્ય મંત્રી હર્ષ એ સભા ને સંબોધી હતી અને મજાક મજાક મા તેવો એ જણાવ્યુ હતુ કે “હું પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે. હર્ષ સંઘવીએ પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી તે દરમિયાન જાહેરમાં મંચ પરથી સંબોધન કરતા આવું બોલ્યા હતા. જે બાદ હાજર રહેલા સૌ કોઈમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ ના પટોળા ભારત મા નહી પણ વિદેશ મા પણ પ્રખ્યાત છે. જે 900 વર્ષ જુની કલા ની એક ઉત્તમ નમુનો છે. પાટણ ના પટળા નો ધંધો લગભગ 30 વર્ષો થી પેઢી દર પેઢી ચાલ્યો આવે છે. જો પટોળા ની ખાસ વાત કરવામા આવે તો દુનિયાની એક માત્ર એવી સાડી છે જેને તૈયાર કર્યા બાદ ઉપરથી રંગ લગાવવામાં આવે છે. રંગ લગાવેલા દોરાને બનાવીને તેમને ડીઝાઈન આપવામાં આવે છે.