ખાસ મિત્ર એ જ દગો દેતા આધેડે સાબરમતીમાં મોતની છલાંગ લગાવી ! સુસાઇડ નોટ માં મિત્ર વિષે…
આજકાલ દુનિયામાં કોઈ કોઈનું નથી, એ આપણે સૌ જાણીએ જ છીએ, હાલ કોઈ પર કોઈ જાતનો વિશ્વાસ કરાતો જ નથી, કારણ કે લોકો હાલ સબંધ ને વિશેષ માનતા જ નથી, એની જગ્યાએ પૈસા ને મહત્વ આપે છે. તેના માટે એ સબંધ નું કંઈપણ વિચારતા જ નથી, અને વિશ્વાસઘાત કરી નાખે છે, તેવીજ એક વાત કરીએ તો એક ગાઢ મિત્ર એ પોતાના મિત્રે વ્યાજ બાબતે આપ્યો દગો.
વાત કરીએ તો અમદાવાદના કોતરપુર નંદીપાર્ક સોસાયટી માં રહેતા ૪૫ વર્ષીય મુકેશભાઈ માનસિંગ ડાંગી કે જેઓ અમદાવાદ એરપોર્ટ માં લોડર નોકરી કરતા હતા, તે દરમિયાન તેની મિત્રતા નામે સંજય રોહિતભાઈ છારા તેના સહકર્મચારી સાથે થઇ હતી. અને સમયજતા આ બંને વચ્ચે ખુબજ ગાઢ મિત્રતા થઇ ગઈ હતી. અને એક સમયે મુકેશભાઈ ની પરિસ્થતિ ખરાબ થતા તેણે એક મિત્રના નાતે સંજયભાઈ ને વાત કરી કે મારે હાલ પૈસા ની ખુબજ જરૂરિયાત છે. આથી સંજયભાઈ આ વાત સાંભળી તેની મદદ અર્થે તેમની સાળી નામે કવિતા (રહે-સંતોષીનગર, કુબેરનગર) ને કહીને મુકેશભાઈ ને રૂ.૭૦ હજાર ટુકડે ટુકડે વ્યાજે અપાવ્યા હતા, જેમાં સાક્ષી તરીકે સંજય પોતે રહ્યો હતો.
ત્યારબાદ બન્યું એવું કે મુકેશભાઈ તો દર મહિને વ્યાજની રકમનો હપ્તો સમયસર પોતાના મિત્ર સંજય દ્વારા પહોચાડતા હતા, અને ત્યારબાદ મુકેશભાઈ એ આઈડીએફસી બેંક માંથી લોન લઈને તમામ રૂપિયા મુકેશભાઈએ સંજયભાઈ ને ચૂકવી દીધા પરંતુ સંજયભાઈ એ મુકેશભાઈએ આપેલ રૂપિયા પોતાની સાળી ને આપ્યા નહિ, અને તે તમામ રૂપિયા વાપરી ગયા, ત્યારબાદ થોડા સમયબાદ કવિતા નો પુત્ર ઉઘરાણી માટે મુકેશભાઈ પાસે ગયો ત્યારે તેણે મુકેશભાઈ એ કહ્યું મેં તમામ પૈસા સંજયભાઈ ને આપી દીધા છે, તેમણે તમને નથી આપ્યા, ત્યારે સંજયભાઈ ને પૂછતા સંજય ભાઈએ એ કહ્યું મને આપ્યા જ નથી, તેવું ખોટું બોલી મુકેશભાઈ સાથે વિશ્વાસ ઘાત કર્યો.
આ વિશ્વાસ ઘાત ની અસર મુકેશભાઈ પર પડતા તેમને ખુબ આઘાત લાગ્યો હતો. તેને એમ વિચાર્યું કે મેં જેના પર આંખ બંધ કરી વિશ્વાસ કર્યો તેનેજ મારા પર દગો કર્યો. ત્યાં બીજી બાજુ કવિતા જબરદસ્તી ઘરે આવીને બે કોરા ચેક, આધારકાર્ડ, પાસપોર્ટ, અને પ્રોમીસરી નોટ લખાવી ગયા હતા, અને તો પણ તા:-૨૧ ડીસેમ્બર ૨૦૨૦ સુધી મુકેશભાઈ કવિતા ને રેગ્યુલર વ્યાજ નો હપ્તો પહોચાડતા હતા, ઓ પણ કવિતા નો પુત્ર તેમને હેરાન કરવા માટે એક દિવસ દસ માણસો સાથે તેમના ઘરે ગયો હતો.
ત્યારબાદ કવિતા નો પુત્ર મુકેશભાઈ ને ટોર્ચર કરતો હતો, અને ખુબજ ત્રાસ આપતો હતો. તે ત્રાસ થી મુકેશભાઈ ખુબ હેરાન પરેશાન થઇ ગયા હતા, અને આખરે તેમણે સુસાઇડ નો વિકલ્પ પસંદ કર્યો. સુસાઇડ પહેલા મુકેશભાઈ એ સુસાઇડ નોટ લખ્યો હતો, અને તેમણે એ સુસાઇડ નોટ નો ફોટો પાડી પોતાનો ફોન પોતાના લોકર માં મૂકી દીધો હતો. અને તે પોતે સુસાઇડ કરવા સાબરમતી નદી એ ગયા ત્યાં તેમેણે આત્મહત્યા કરી હતી, ત્યારબાદ પરિવાર જનોએ તેમણે ખુબ શોધ્યા ફોન પણ કર્યા પણ તેમનો ફોન બંધ આવતો હતો ત્યારબાદ તેના પુત્ર એ સાબરમતી નદી એ શોધવા જતા ત્યાં તેમની લાશ મળી હતી.
લાશ મળતા ની સાથે તેના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા, અને ત્યાની ઇન્ફોસિટી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી, અને લાશ ની તપાસ કરતા મુકેશભાઈ ના પેન્ટ ના ચોર ખિસ્સા માં પલળેલો તેમનો સુસાઇડ નોટ મળ્યો હતો. અને તેમના ઘરે જઈ મુકેશભાઈ નો ફોન પણ કબજે કરી લીધો હતો. અને આ આપઘાત કરવા પાછળ નું કારણ જાણવા માટે પોલીસે આ કાર્યવાહી આગળ ચલાવી છે, અને તપાસ હાથ ધરી છે.