બે પ્રેમી યુગલ ટ્રેન નીચે આવીને જીવ છોડ્યો, યુવકનું ઘટના સ્થળે મુત્યુ જ્યારે યુવતીનું..
હાલના સમયમાં લોકો પોતાના લગ્ન જીવન થકી એક જિંદગીની નવી શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક પ્રેમી યુગલે આત્માહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. આ ઘટનાને કારણે પરિવાર જનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ખરેખર આજના સમયમાં અનેક લોકો પોતાનો જીવ ટૂંકાવી દેતા હોય છે.
ખાસ કરીને આજનાં સમયમાં યુવા પેઢીઓ ખૂબ જ નાજુક બની જાયછે. પ્રેમને ખાતર પોતાનો જીવ દેવા માટે પણ અચકાતા નથી. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબીના હળવદ રેલવે સ્ટેશન નજીક બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાને કારણે. પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈ પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી હતી. આ દરમિયાન પ્રેમી યુગલે ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી દેતા બન્નેના મોત થયા હતા.
યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું અને તેણીનું નામ નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.ખરેખર આ ઘટના ક્યાં કારણોસર બની કોઈ નથી જાણી શક્યું. જીવનમાં દુઃખ તો આવ્યા કરે પણ એનો મતલબ એવો નથી કે, પોતાનો જીવ ટૂંકાવી દેવો.