અકસ્માતનો ભોગ બનેલ પરિવાર ની મદદ માટે અપીલ કરતા લોકોએ આટલી મદદ કરી.
થોડા દિવસો પહેલા બનેલી દર્દનાક અકસ્માત ઘટના માં બે સુરતી પરિવાર ના ૬ સભ્યોના મોત થયા હતા, તેમાં તેના પરિવાર ના સભ્યોમાં ૩ દીકરી બચી ગઈ હતી. તેથી તે ત્રણેય દીકરી ને આર્થિક સહાય આપવાનું સુરતના દાતાઓએ નક્કી કર્યું હતું, પણ બન્યું એવું કે..
ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા સુરતના કઠોદરાના સોમેશ્વર વિલામાં રહેતો મૂળ મુંજિયાસર નો ગઢિયા પરિવાર ગત તા:-૨૩ નવેમ્બર ના રોજ અમરેલી જીલ્લાના ધરી ખાતે લગ્નપ્રસંગ માં જઈ રહ્યો હતો, ત્યારે ખુબજ દર્દનાક અને ભયંકર અકસ્માત સર્જાયો હતો, રાજકોટ અને ગોંડલ હાઈ-વે પર બીલયાળા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદી સામે તરફથી આવતી એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ૧૨ વર્ષીય બાળક સહીત ૬ ના મોત અને ૭ સભ્યો પૈકી માત્ર ૮ વર્ષીય બાળકીનો બચાવ થયો હતો.
ત્યારબાદ આ કરુણ અકસ્માત થતા તેમાં આ પરિવાર ની ત્રણ દીકરી નો બચાવ થયો હતો. જેમાં એક દીકરી દ્રષ્ટી (ઉ.વ.-૮) કે જેનો જીવ બચી ગયો હતો. અને તેના પરિવાર ના તમામ સભ્યો નું મૃત્યુ થયું હતું. તેથી આ દીકરી સાવ નિરાધાર થઇ ગઈ હતી. તેથી આ દીકરી નો અભ્યાસ નો તમામ ખર્ચ એક સુરત ના દાતા એ ઉપાડી લીધો હતો.
વધુમાં જણાવીએ તો આ પરીવાર ની ત્રણેય દીકરી ને ૧૧-૧૧- લાખની ફિક્સ ડીપોઝીટ કરાવી દેવાની પણ ત્યાના દાતાઓ એ આશા આપેલી છે, અને અત્યાર સુધીમાં આ ત્રણેય દીકરીઓ ને ૫ લાખ સુધીની સહાય મળી છે. અને કામરેજ ના પૂર્વ ધારાસભ્ય દદ્વારા પણ આ દીકરી ઓને મદદ કરવા અપીલ કરેલ છે. અને આ સાથે કેટલાક દાતાઓ પણ ૫૦-૬૦ હજારની રોકડ રકમ ઘરે આપી ગયા છે. અને આ સાથે સુરતના આશાદીપ ગ્રુપ દ્વારા ત્રણેય દીકરીઓના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. બસ આપણે સૌ લોકો ભગવાન ને પ્રાથના કરવાની છે કે ભગવાન આ ત્રણેય દીકરીઓને દુખ સહન કરવાની શક્તિ આપે, અને તેનો સમાજ તેનો સાથે હમેંશા આપશે.