20 વર્ષ પહેલા ગુમ થયેલો યુવાન નુ આવી રીતે પરીવાર સાથે મીલન થયુ ! પરીવાર ની આંખો મા હરખ ના આંસુ આવી ગયા
આપણે જોયું હશે કે ઘણા શહેરો અને ગામોમાં ઘણા અજાણ્યા વ્યક્તિઓ રખડતા ભટકતા હોઈ છે, કે જેનું દુનિયામાં કોઈ હોતો નથી, કારણ કે ક તો તે તેના પરિવાર થી છુટો થઇ ગયો હોઈ કા તો તે પોતે અનાથ હોઈ કા તો એ પોતે ગુમ થઇ ગયેલ હોઈ, આવી વ્યક્તિ કા તો ભટકતી રહે, કા તો કોઈ સંસ્થામાં રહેવા લાગે છે, તેવીજ એક વાત કરીએ તો એક યુવક કે જે ૨૦ વર્ષ પહેલા દિલ્લીથી ગુમ થઇ ગયો હતો, પરંતુ ૨૦ વર્ષ બાદ સેવાભાવી સંસ્થા દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ઘટના ની વાત કરીએ તો આજથી ૨૦ વર્ષ પહેલા કટકથી સોમનાથ પહોચેલા યુવકના બહેન કુસુમ શર્મા અને ભાઈ ઉમેશ શર્માએ જણાવ્યું કે, તેમનો ભાઈ રાજેશ બાળપણથી જ ક્રિકેટમાં કુશળ હતો, પરંતુ યુવા અવસ્થામાં આવતા માનસિક મંદતાની બીમારીથી પીડાતો હતો. આ દરમિયાન ૨૦ વર્ષ પહેલા રાજેશ દિલ્લી ખાતે રહેતા તેના ભાઈને મળવા માટે કટક થી ગયો હતો. અને તે સમય દરમિયાન દિલ્લી પહોંચ્યા બાદ તે ગુમ થઇ ગયો હતો. ત્યારે તેમણે ઘણા સ્થળોએ ખુબ શોધખોળ કરી પરંતુ મળી આવ્યો નહિ, તેથી ગુમ થયા અંગે ની પોલીસ ફરિયાદ પણ કરી હતી. પરંતુ ૨૦ વર્ષ સુધી તે મળી આવ્યો ન હતો.
ત્યારબાદ આ યુવક કે જે બે મહિના પહેલા ટ્રેન મારફતે સોમનાથ આવી પહોંચ્યો હતો. મેલીઘેલી હાલતમાં આ યુવાન ભટકી રહ્યો હતો. જે આ યુવાન ને યાત્રાધામ સોમનાથ સાનિધ્યે વિકલાંગ લોકોની સેવા કરતી નિરાધાર નો આધાર સંસ્થાએ આશરો આપ્યો હતો, અને આ યુવાન ની સારવાર પણ કરાવી હતી. ત્યારબાદ તેની સ્થતિ સ્વસ્થ થતા સંસ્થા એ આ યુવાન પાસેથી તેના પરિવાર ની માહિતી એકઠી કરી અને આ માહિતી મળ્યા બાદ સંસ્થા એ પોલીસ મારફત આ યુવાન ના પરિવાર ને બોલાવ્યા હતા, અને આ યુવાન ને ૨૦ વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ મિલન જોઈ ત્યાં હાજર સૌ લોકોના આંખમાં હરખના આંસુ આવી ગયા હતા, અને ખુબજ લાગણીભર્યું વાતવરણ છવાય ગયું હતું.
આ યુવાન ને ૨૦ વર્ષ બાદ જોતા ની સાથે તેનો પરિવાર તેને ભેટી પડ્યો હતો. અને વધુમાં આ નિરાધાર આધાર સંસ્થાના સંચાલક જનક પારેલ અને ધ્રુવ એ જણાવ્યું હતું કે, રાજેશ અમને ખુબ મેલીઘેલી હાલતમાં માળી આવ્યો હતો, અને રાજેશ ખુબજ માનસિક દિવ્યાંગ હોવાથી તેને જરૂરી સારવાર પણ આપવામાં આવી હતી. જેથી થોડા સમય બાદ તે સ્વસ્થ થયો અને તેણે તેના પરિવાર તથા ઘરની વિગતો જાણીને અને અમે લોકોએ ત્યાના પોલીસ સાથે સંપર્ક કરી બધી વિગતો જાણી રાજેશ નું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.