આ વનસ્પતિ ઘી ની કંપની એ ૧૦૦ વર્ષ સુધી રસોડામાં રાજ કર્યું હતું ! જાણો હવે આ કંપની …
આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ ખાણી પીણી માં ખુબજ પ્રખ્યાત છે, આપણા દેશમાં ખાણી પીણી નો સ્વાદ ખુબજ રસપ્રદ હોઈ છે, અને એનો સ્વાદ ને વધારે રસપ્રદ બનાવવા માટે તેમાં ઘણી જાતના મિર્ચ મસાલા અને તેલ પણ નાખવા પડે છે, સામાન્ય રીતે લોકો તેલ માં જ શાકભાજી બનાવતા હોઈ છે, પરંતુ ઘી માં બનાવેલી સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોઈ છે, અને આપણા દેશ જેવું ઘી આખી દુનિયામાં મળતું નથી. ભારત માં ઘણી પ્રકારના ઘી ઉપલબ્ધ છે પણ તેમાં જુનું અને અતિ લોકપ્રિય સ્વાદિષ્ટ ઘી ની વાત કરીએ તો એ ડાલડા ઘી છે, કે જેના વિષે આપણે જાણીએ છીએ, પરંતુ આ ઘી ક્યાંથી આવ્યું અને તેની શરૂઆત કઈ રીતે થઇ એના વિષે આજે આપણે જાણીશું.
ડાલડા ઘી ની શરૂઆત વર્ષ-૧૯૩૭ માં હિન્દુસ્તાન યુનીલીવર નામની કંપની માંથી થઇ હતી. અને આ ડાલડા કંપની નો ઈતિહાસ આઝાદી પહેલાનો છે. અને મહત્વની વાત કરીએ તો છેલ્લા ૯૦ વર્ષથી આ બ્રાંડ એ બજાર માં પોતાની સારી શાખા ઉભી કરી છે. આ ઘી ની શરૂઆત ની વાત કરીએ તો વર્ષ-૧૯૩૦ માં નિદરલેન્ડ ની એક કંપની ઘી ના વ્યાપાર માટે ભારત માં આવી હતી. અને તેને ભારતમાં તે સમયે ડાડા નામની બ્રાંડ ની શરૂઆત કરી હતી. આ બ્રાંડ એક વેજીટેબલ તેલ હતું, આ તેલ સબ્જી માં નાખવાથી ખુબજ અલગ સુગંધ આવતી હતી. પરંતુ આ તેલ ભારત ના લોકોને જોઈએ એટલું પસંદ પડ્યું ન હતું, તેથી આ બ્રિટીશ કંપની એ ભારતની યુનીલીવર કંપની સાથે મળી ગઈ અને વનસ્પતિ ઘી બનાવા નું નક્કી કર્યું હતું. અને ત્યારબાદ આ ડાડા કંપની નું નામ બદલી ને ડાલડા રાખવામાં આવ્યું હતું.
ડાલડા કંપની ની શરૂઆત થતા તેમાં આ બંને કંપની એ મળી ઘણા બધા તેના પેકિંગ માં અને તેની માર્કેટિંગ માં બદલાવ કર્યા હતા. અને ત્યારબાદ આ ડાલડા ઘી કે જેનો ઉપયોગ વધવા લાગ્યો, તેનો સ્વાદ લોકોને ખુબજ પસંદ પડવા લાગ્યો, અને લોકો તેના પ્રત્યે ખુબજ આકર્ષિત થવા લાગ્યા હતા, અને આ ઘી ખુબજ લોકપ્રિય થતા હિન્દુસ્તાન યુનીલીવર કંપની એ આ ડાલડા ઘી ને શુદ્ધ ઘી ના સ્વરૂપ માં લોન્ચ કર્યું હતું. તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ પણ આ ઘી ને ખાધ સ્વરૂપ માં સરળતા થી ખરીદી શકે. અને ત્યારબાદ વિજ્ઞાપનો દ્વારા આ ડાલડા કંપની ના ખુબજ ફાયદા દેખાડવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ધીરે ધીરે આ ઘી ભારતના દરેક ઘરે પહોંચી ગયું અને પ્રખ્યાત થઇ ગયું હતું.
ડાલડા ઘી ની કિંમત ની વાત કરીએ તો એ દેસી ઘી અને તેલ ની તુલના એ તેની કિંમત ખુબજ ઓછી હતી, તેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ સામાન્ય રીતે આની ખરીદી શકતા હતા. જોત જોતાના સમયમાં આ ડાલડા ઘી ભારત દેશનું સૌથી પ્રથમ નમ્બર નું કુકિંગ ઓયલ બ્રાંડ બની ગયું હતું. પરંતુ થોડા સમયબાદ આ ડાલડા કંપની નો બીજી ઓયલ કંપની દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આ કંપની ના ઘી નું વેચાણ ખુબજ થતું હતું, તેના કારણે બીજી કંપની ને ખુબજ નુકશાન થતું હતું.
ત્યારબાદ ઘણી અલગ અલગ કંપની એ આ ડાલડા કંપની સામે હરીફાઈ કરવા લાગી હતી, અને અલગ અલગ ઘી બનાવા લાગી હતી, અને ડાલડા ઘી ની જેમ જ તેની ગુણવતા લાવવા લાગી હતી, તેના કારણે ડાલડા કંપની ની માંગ ઓછી થવા લાગી હતી. અને બીજી અલગ અલગ બ્રાંડ ના ઘી નું વેચાણ વધી ગયું હતું. અને તે દરમિયાન બીજા અન્ય વેપારી એ ડાલડા બ્રાંડ કંપની નું પતન કરવા માટે તેની અફવાઓ પણ ઉડાડી હતી, કે આ તેલમાં ખુબજ ચર્બી નો ભાગ આવે છે આને આ તેલમાં ખુબજ ચિકાસ હોઈ છે. અને આ તેલમાં પ્રાણીઓ ની ચરબી નો ઉપયોગ કરવામાં આવે છે, તે તેલનું સેવન કરવું તે કોઈ પાપ થી કમ નથી, તેવી અફવાઓ ફેલાવતા ડાલડા કંપની ની માંગ ખુબજ ઓછી થઇ ગઈ હતી.
ત્યારબાદ સમય જતા ડાલડા ની માંગ ઓછી થતા, ત્યારબાદ તેની જગ્યા રીફાઇનડ તેલ ની શરૂઆત થઇ અને આ રીફાઇન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થયું હતું. પરંતુ એવું નથી કે ડાલડા ઘી નો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ થઇ ગયો ! હજુ સુધી ઘણા લોકો આ ઘી નો ઉપયોગ કરે છે, અને તેના કારણે ખુબજ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. ડાલડા ઘી ફક્ત ભારત માં જ નથી એશિયા ના ઘણા દેશો માં પ્રખ્યાત સાબિત થયું છે.
હિન્દુસ્તાન યુનીલીવર ૯૦ વર્ષ સુધી એક પ્રખ્યાત બ્રાંડ સાબિત થઇ હતી. પરંતુ ૨૦૦૩ માં ડાલડા નું વેચાણ ખુબજ ઓછુ થતા આ ડાલડા ને BUNGE LIMITED કંપની ને વેચી દેવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ હજી ડાલડા ઘી ની વાત થાય તો તેના દ્વારા બનાવામાં આવતી વાનગીમાં જે સ્વાદ આવતો તેની વાત જ અલગ છે.