Gujarat

ગુજરાતના મા આગામી બે દિવસ વરસાદ ની આગાહી ! આજે વહેલી સવારે આ ક્ષેત્રો મા માવઠુ થયુ…

ગુજરાત ના વાતાવરણ મા અચાનક પલ્ટો આવ્યો છે અનેક જીલ્લા મા માવઠુ થયુ છે જેના કારણે ખેડૂતો ને પણ નુક્શાન થશે અને સાથે સાથે રોગચાળા નો પણ ભય સતાવી રહ્યો છે. ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગીર-ગઢડા, કોડીનાર  મા વાતાવરણ મા પલ્ટો થયો અને માવઠા થી વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઈ હતી.

જો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ અને આજે વરસાદ ની આગાહી કરવામા આવી છે. જેમા ખાસ કરીને આજે સુરત, અમદાવાદ સહીત અને વડોદરા મા વરસાદી જાપટા પડ્યા હતા. ખાસ કરીને અમદાવાદ ના પુર્વ અને પશ્ચીમ ના ભાગો મા આજે સવારે 6 વાગ્યા થી વરસાદી જાપટા સાથે ઠંડક પ્રસરી હતી.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 29 મિમી નોંધાયો છે.

આગામી દિવસો માટે માછીમારો ને પણ દરિયો નહી ખેડવા માટે ચેતવણી અપાઈ છે જેમા જણાવવા મા આવ્યુ છે દરિયા કિનારા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી 40થી 60 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.

આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બુધવારે દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરુવારથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે. જોકે ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!