દેશ માટે ફરી એક વાવાઝોડા નો ખતરો ! દેશ ના આ ભાગો સાથે 4 તારીખેસુધી ટકરાઈ શકે…
ખરેખર કુદરત સામે વ્યક્તિનું કંઈ પણ ન ચાલે.હાલમાં એક તરફ જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ચોમાસાની ઋતુ નું વાતાવરણ આપણે સૌ કોઇ મહેસુસ કરી રહ્યા છીએ. આનાથી વિશેષ બીજું શું હોય શકે છે. આપણે હાલમાં જ એક વાવાઝોડાનો સામનો કર્યો છે, ત્યારે ફરી એક વખત જાવદ નામના વાવાઝોડાનો ખતરો આપણા સૌને માથે આવ્યો છે. હાલમાં જ છેલ્લા બે દિવસ થી હવામાન પણ બદલાઈ ગયું છે.ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે. આ બધા વચ્ચે હવામાન ખાતા એ અલર્ટ જાહેર કરી છે અને આગાહી કરી છે.
આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન જવાદ ના મજબૂત થવાના આસાર છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 4 ડિસેમ્બરના રોજ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે અને તેના કારણે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD નાં હાલના અનુમાન અનુસાર ચોથી ડિસેમ્બરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને 12 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. 13 જિલ્લાના કલેક્ટરોને દિવસ રાત વાવાઝોડાના કામમાં લગાવવામાં આવ્યા છે.
આ વખતે સાઉદી અરેબિયાએ ચક્રવાતને ‘જવાદ’ નામ આપ્યું છે. જેનો અર્થ ‘દયાળુ’ થાય છે, તેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ તોફાન વિનાશક નહીં હોય.વાસ્તવમાં ચક્રવાતનું નામ દરેક દેશના હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવે છે, પરંતુ વર્ષ 1953 પહેલા આ અંગે કોઈ સંસ્થા ન હોવાથી વાવાઝોડાનું આકલન થઈશક્યું ન હતું.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 1953થી વિશ્વ હવામાન સંસ્થાએ વિશ્વના તમામ ચક્રવાતોનો રેકોર્ડ રાખવા માટે એક કરાર હેઠળ એક સમિતિની રચનાકરી હતી, પરંતુ તે પછી પણ વાવાઝોડાના હિસાબમાં ઘણી સમસ્યાઓ હતી.
બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન જવાદનો સાયો મંડરાઈ રહ્યો છે. ચક્રવાતી તોફાન જવાદના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાની આશંકા છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં પૂરપાટ પવન ફૂંકાવવાની સાથે સાથે ભારે વરસાદ અંગે અલર્ટ જાહેર કરી છે.ગુજરાતનાં દરિયા કાંઠે આ વાવાઝોડાની અસર વધુ દેખાશે. હાલમાં તો પરિસ્થિતિને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.