Gujarat

રિક્ષા ચાલકની ગળું કાપીને કરી હત્યા, ઘેરે થી કહ્યું કે મિત્રને મળવા જાવ અને મિત્રો લાશ લઈને આવ્યા….

એક તરફ આત્મહત્યાની ઘટના વધુ બની રહી છે, તો તેની સામે હત્યાના બનાવ અનેક બની રહ્યા છે.ખરેખર આજના સમયમાં લોકોને ખોટા રસ્તે જવાનું વધારે પસંદ કરે છે. આવા કામના લીધે એક જિંદગી નહીં પણ અનેક જીવનનો બરબાદ થાય છે.હાલમાં જ એક યુવકની રિક્ષામાં હત્યા કરવામાં આવી છે. આ કારણે પરિવાર જનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવાથી જાણે આભ ફાટી પડ્યું હોય એવી પરિસ્થિતિ જોવા મળી છે. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી. ચાલો અમે આપને આ ઘટના વિશે વિસ્તુત માહિતી આપીએ.હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતની કમેલા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રિક્ષા ચાલક ઘરેથી મિત્રો પાસે બેસવા જવાનું કહીને ઘરે થી ગયા હતા પરતું કોઈ વિચાર્યું ન હતું કે, એક મોટી દુર્ઘટના બની ગઈ. અચનાક મોડી રાત્રે મૃતક હાલતમાં ઘરે લઇ આવ્યા હતા.

આ ઘટના બાદ લાશને પીએમ માટે મોકલવામાં આવ્યું અને જાણવા મળ્યું કે યુવાનની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે.હાલમાં તો રીક્ષા ચાલકની હત્યા કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતકના મિત્રોની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.મહેમુદખાન બિરામિલ્લાખાન પઠાણ (ઉ.વ.47) સિદ્ધિ વિનાયક એમ્બ્રોઈડરી ખાતામાં પોટલા ઉંચકવાની મજૂરી કામ કરે છે. મહેમુદખાનનો પુત્ર સલમાન ખાન (ઉ.વ.26) રીક્ષા ચલાવે છે અને તેની પત્ની અને બે સંતાન છે.

હાલમાં તેની પતી શબાના એક મહિનાથી ડિલિવરી માટે પિયર મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે ગઈ છે. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી મૃતક સલમાનખાનની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસે મહેમુદખાન પઠાણની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી મૃતક સલમાનખાનના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે તેમજ પરિવાર જનોને આ આઘાત સહન કરવાની શકતી મળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!