India

“જવાદ” વાવાઝોડું 5 તારીખે દેશના આ ક્ષેત્રો માં ટકરાશે ! ૫૪૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું…

આપણા વિશ્વ માં છેલ્લા ૨ વર્ષથી તો જાણે કુદરત આપણા થી એટલો નારાજ થઇ ગયો છે, કે એક પછી એક મુસીબતો નું આપણા વિશ્વ અને દેશોમાં સ્વાગત થઇ રહ્યું છે, સૌથી પહેલા વાત કરીએ તો કોરોના મહામારી કે જેણે આખા વિશ્વને હચમચાવી નાખ્યું, ત્યારબાદ એક પછી એક વાવાઝોડા, ત્યારબાદ રોગચાળો તેમ એક પછી એક મુસીબતો આવ્યા જ કરે છે, અને સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે હવે આવી રહ્યું છે,એક મોટું વાવાઝોડું જેનું નામ છે “જવાદ” કે જેના કારણે લોકોને ખુબજ તફ્લીફો નો સામનો કરવો પડશે.

વાત કરીએ તો આ વાવાઝોડું જવાદ કે જે દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડીશાના દરિયાકિનારાના વિસ્તારોમાં ત્રાટકશે. અને આ વાવાઝોડા ની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે. પરંતુ ખાસ તો આ વાવાઝોડા ની અસર આંધ્રપ્રદેશ અને ઓડીશા માં થશે. અને આ વાવાઝોડા ને લઇ આ બંને રાજ્યો એ ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વાવાઝોડું “જવાદ’ કે જે આંધ્રપ્રદેશ અને ઓડીશા માં સૌથી વધુ કહેર અને તોફાન મચાવશે.

આ વાવાઝોડા પૂર્વે આંધ્રપ્રદેશ ના ત્રણ જીલ્લામાંથી ૫૪,૦૦૮ થી વધુ લોકોને સલમત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમાં બચાવ ટીમે શ્રીકકુલમ જીલ્લામાંથી ૧૫૭૫૫ વિજયનગર માંથી ૧૭૦૦ અને વિશાખાપટ્ટનમ માંથી ૩૬૫૫૩ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવા માં આવ્યું છે. અને આ વાવાઝોડા ના પગેલ ઓડીશા સરકારે ૪ ડિસેમ્બર થી જીલ્લાની  ૧૯ સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે આ જીલ્લામાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે, તેના કારણે આ નિર્ણય લેવાયો છે. આ વાવાઝોડું જવાદ ના તોફાન ને ધ્યાનમાં લઇ ત્યાના રેલ્વે વિભાગે પણ ૧૦૭ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. અને ઓડીશા અને આંધ્રપ્રદેશ ના વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે.

આ વાવાઝોડા ને ધ્યાનમાં લઇ સરકારે શાળાઓ અને સરકારી હોલોમાં ૧૯૭ રાહત શિબિર શરુ કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં લેતા સરકારે પણ ગ્રામપંચાયત અને જીલ્લા કલેકટરો ને પણ દિવસ-રાત કામ કરવાના આદેશ આપ્યા છે. વધુમાં જણાવ્યે તો આ વાવાઝોડું જવાદ ની ગતિ ૧૦૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે, તેના કારણે વીજળીના થાંભલા પડી શકે છે, જે અંગે દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે. અને વાવાઝોડા સામે પૂર્વ દરિયા કાંઠાના વિસ્તારોમાં NDRF ની ૪૬ ટીમને તહેનાત કરવામાં આવી છે.હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું ૫ મી ડીસેમ્બર બપોરે પુરીની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!