આંખોની સામે જ પુત્ર ટ્રેન નીચે કપાયો; મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કરતાં પિતાને બીજી ટ્રેન ચગદીને જતી રહી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં રેલવે અકસ્તમાતની ઘટના બનતી હોય છે.ત્યારે ખરેખર હાલમાં જ એક એવી ઘટના બની કે, આંખોની સામે જ પુત્ર ટ્રેન નીચે કપાયો; મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કરતાં પિતા સાથે એવી ઘટના બની કે તમારી આંખમાં આંસુઓ આવી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.આવી હ્રદયદ્રાવક ઘટના લગભગ જ સાંભળી હશે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું મધ્યપ્રદેશમાં પિતાની સામે જ પોતાનો પુત્ર ટ્રેન નીચે કપાઈ ગયો.આ કપાઈ ગયેલો મૃતદેહ જોઈને પિતા ભાન ગુમાવી બેઠા હતા, અને તેઓ રેલવે ટ્રેક પર જ બેસીને આક્રંદ કરવા લાગ્યા.વિધિના એવા લેખ કે આ જ સમયે એક બીજી ટ્રેન આવી જેની ઝપેટમાં પિતા પણ આવી ગયા. જાણવા મળ્યું હતું કે, ટ્રેન હડફેટે આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ હોસ્પિટલે લઈ જતા સમયે જ તેમનું મોત થઈ ગયું.
આ ઘટના ગુરુવારે રાત્રે 12-30 વાગ્યે ઘટી હતી. રાત્રે છોટેલાલ વિશ્વકર્મા (36)નો પરિવાર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો. તે ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયો. તેને મનાવવા માટે તેમના પિતા મોહનલાલ (60) પણ પાછળ પાછળ ગયા. છોટેલાલ ઘરથી 100 મીટરના અંતરે જ આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યો અને ત્યાં બેસીને ટ્રેનની રાહ જોવા લાગ્યો. તે સમયે તેના પિતા મોહનલાલ મનાવી રહ્યાં હતા. આ દરમિયાન જ ટ્રેન આવી અને છોટેલાલ તે ટ્રેનની ઝપેટમાં આવી ગયા. ટ્રેન ફાસ્ટ હોવાથી તેના શરીરના ચીથડે ચીથડા ઊડી ગયા. તેના શરીરના અંગ ટ્રેક પર 200 મીટર સુધી ફેલાઈ ગયા.
. પિતા-પુત્રના મૃત્યુથી સોહાગપુરમાં તેમના વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ. પિતા-પુત્રના એક સાથે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા. પોલીસે આ અંગે પરિવાર સાથે વાત કરી તો વિવાદની વાત સામે આવી.પિતા-પુત્ર બંને ફર્નીચરનું કામ કરતા હતા. GRP SI એસએસ શુક્લાએ જણાવ્યું કે છોટેલાલની પત્ની પ્રીતિ પોતાના સાસરેથી દૂર ખેરુઆમાં રહે છે. પરિવારના સભ્યોએ છોટેલાલ અને તેમની પત્ની વચ્ચે વિવાદ ચાલતો હોવાની વાત જણાવી. પત્ની રિસામણે હોવાથી છોટેલાલ દુખી તેમજ માનસિક તણાવમાં રહેતો હતો.
હાલમાં હવે પરિવારમાં છોટેલાલ ઉપરાંત માતા રામવતી બાઈ, પિતા મોહન અને છોટેલાલના બે પુત્રો રહેતા હતા. છોટેલાલનો મોટો ભાઈ નારાયણ હોશંગાબાદમાં રહે છે. છોટેલાલ અને પિતા મોહનના મૃત્યુ પછી હવે ઘરમાં વૃદ્ધ માતા રામવતી બાઈ અને માસૂમ પુત્રો શ્રેયાંસ અને શોર્ય જ રહ્યાં છે.ખરેખર આવી ઘટનાને કારણે પરિવારમાં આભ ફાટી પડ્યું હતું.આપણે સૌ કોઈ મૃતકની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ.તેમજ તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ મળે.