Gujarat

સુરતમાં યોજાયા ભવ્ય લગ્ન! માતા-પિતાની છત્રછાયાં ગુમાવનાર 300 દીકરીનું મહેશ સવાણીએ કન્યાદાન કર્યું

આ જગતમાં કન્યાદાન એ અતિ મહત્વનું દાન છે! જીવનમાં દરેક પિતા અને માતા માટે એમના જીવનનો આ રૂડો અને યાદગાર પ્રસંગ હોય છે. ભાગ્યવાન હોય છે એ દંપતીઓ જેમનાં ખોળે દીકરીનો જન્મ થાય અને કન્યાદાન કરવાનો લ્હાવો મળે છે. જો તમારે ઘરે દીકરી ન હોય તો તમે કોઈની દીકરીનું કન્યાદાન કરિને પણ આ પુણ્ય નું કામ કરી શકો છો. ગુજરાતમાં આવા જ એક વ્યક્તિ છે જેને માત્ર 1 કે 2 દીકરીઓનાં કન્યાદાન નથી કર્યા પરંતુ અનેક દીકરીઓનું કન્યાદાન કરીને પાલક પિતા તરીકે નામના મેળવી.

હાલમાં જ સુરત શહેરમાં આ રૂડો અવસર આવ્યો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે સુરત શહેરનાં જાણીતા બિઝનેસ મેંન અને સમાજ સેવક દર વર્ષે માતા પિતા વિહોણી દીકિરના લગ્ન કરાવી આપે છે. ત્યારે હાલમાં જ કોરોના ની પરિસ્થિતિ બાદ પી.પી. સવાણી ગ્રુપ દ્વારા શહેરમાં ફરીથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ સમૂહ લગ્નમાં સવાણી પરિવાર 300 દીકરીઓને પરણાવશે. લગ્ન સમારોહ 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ યોજાવાનો કાર્યક્રમ છે.જેમાં આજના દિવસે લગ્ન યોજાયેલ.

આ 300માં અલગ-અલગ સમાજ અને જાતિમાંથી આવતી દીકરીઓનો સમાવશ થાય છે શહેરના રિયલ્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમોટર, મહેશ સવાણી અને તેમનો પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યારસુધીમાં તેઓ 4,446 જેટલી નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે અલગ-અલગ રાજ્યોની છોકરીઓ સમૂહલગ્નમાં જોડાવાની છે, જેમાં સૌથી વધારે ગુજરાતની છે. તેમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના તાંતણે બંધાશે.

રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગનું આયોજન કરવા સિવાય, સવાણી પરિવાર લગ્ન વખતે દરેક દંપતીને જ્વેલરી, કપડા અને ઘરવખરીનો સામાન પણ આપે છે. તેઓ લગ્ન બાદ નવદંપતીને ટુરની ઓફર પણ આપે છે. આ સિવાય દર વર્ષે સવાણી પરિવાર દ્વારા હનીમૂન ટ્રીપ પણ આપવામાં આવશે. ખરેખર આ એક ખુશીનો અવસર કહેવાય કે આટલી દિકરીઓનું કન્યાદાન કરવું.

પી.પી. સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘ચૂંદડી મહિયરની’ લગ્નોત્સવ અંતર્ગત ગુરૂવારે પિતા વિહોણી 300 દીકરીઓ અને એના પરિવારની 900 મળીને કુલ 1200 જેટલી યુવતીઓને મહેંદી મૂકીને પ્રસંગની શરૂઆત કરાઈ હતી. પી.પી.સવાણી પરિવારના મોભીઓ અને પરિવારની દીકરી-વહુઓ પણ આ પ્રસંગને વધાવવા હાજર હતા. અનેક મહાનુભાવ અને આગેવાન મહિલાઓએ શુકનની પહેલી મહેંદી આ દીકરીઓના હાથમાં મુકીને આશીર્વાદ આપ્યા હતા તેમજ આજ રોજ તમામ દિકરીનોના આજ રોજ મંગલપરિણય યોજાયા અને દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!