Entertainment

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં રાજ કરનાર પદ્મરાણી ગુજરાતી નોહતા! આ કૂળમાં થયો હતો જન્મ અને હતું આવું જીવન…

રંગભૂમિ પર હજી ‘બા રિટાયર નથી થયાં’ – પદ્મારાણી
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોની મહારાણી પદ્મારાણી આજે હયાત નથી. રંગીલી, છેલછબીલી અને મોજીલી આ મરાઠી-ગુજરાતણનો ચહેરો જ નહીં, બોલી અને જીવનમાં પણ ગુજરાતી જ ધબકતું હતું. પદ્મારાણી રવિવાર છેલ્લાં ૫૦માં વર્ષથી ભાગ્યે જ કોઇ રવિવાર મારા માટે ખાલી ગયો હશે. ૧૯૬૨ના વર્ષમાં જ્યારે શ્વેત-શ્યામ ગુજરાતી ફિલ્મોનો જમાનો હતો ત્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડ્યાં હતાં. જોકે ફિલ્મોમાં ગયા પછી પણ મેં સ્ટેજ છોડ્યું નહોતું. નાટકો તો હું પહેલેથી જ કરતી.’

તેઓનો જન્મ પુણેમાં એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો અને ઉછેર વડોદરા થયો હતો. તેઓના પિતા, ભીમરાવ ભોંસલે, એક વકીલ અને માતા કમલાબાઈ રાણે, ગોવાથી હતા.પરિવારની નાણાકીય સમસ્યાઓના કારણે, તેઓની બહેન સરિતા સાથે નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું.પદ્મારાણીનાં લગ્ન ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જ થયાં હતાં. જાણીતા જમીનદાર અને પછી નાટકોના નિર્માતા બનેલા નામદાર ઇરાની સાથે પ્રેમ થતાં તેમણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધેલાં. પોતે મરાઠી અને નામદાર પારસી.

તે જ સમયે તેમણે સંજીવકુમાર સાથે ગુજરાતી ફિલ્મ ‘કલાપી’માં કવિ કલાપીની પત્ની રમાનો રોલ કરેલો. તે સમયની તસવીર તેમના ઘરની દીવાલ પર જોતાં તે જમાનાની તેમની ભવ્યતા આંખે ઊડીને વળગે.પદ્મારાણી માટે રંગભૂમિ એટલે રંગદેવતા. એમણે ૧૭૫થી વધારે ગુજરાતી ફિલ્મો કરી , તેમાં ‘પાતળી પરમાર’, ‘ગંગાસતી’, ‘લોહીની સગાઇ’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘નરસૈયાની હૂંડી’, ‘કસુંબીનો રંગ’, ‘શામળશાનો વિવાહ,’ જેવી કેટલીય ફિલ્મો સુપરહિટ થઈ હતી. હિન્દી સિરિયલો તો તેમણે ફક્ત ચાર-પાંચ જ કરી છે. જેમાં હિમેશ રેશમિયાની ત્રણ સિરિયલો તથા ‘સ્વપ્ન કિનારે’ના ૧૦૦૦ એપિસોડ્સ તેમણે કર્યા હતા.

‘બાએ મારી બાઉન્ડરી’, ‘કેવડાનાં ડંખ’, ‘બા રિટાયર થાય છે’, ‘સપ્તપદી’, ‘ચંદરવો’ જેવાં અસંખ્ય નાટકોના તેમણે પાંચથી છ હજાર શોઝ કર્યા છે તથા ‘જય સંતોષી મા’, ‘દિલ’, ‘જાલીમ’ જેવી કેટલીક હિન્દી ફિલ્મો પણ કરી છે. પદમાબહેન ક્યારેય સામેથી કામ લેવા નહોતા જતા. એમની પાસે નાટકો જ એટલાં બધાં હોય કે એમણે ફિલ્મોમાં શા માટે ફિલ્ડિંગ ભરવી પડે? ફક્ત નાટકોમાં જ વધારે ધ્યાન આપતા હતા. દૈનિક સિરિયલોમાં કામ નથી કર્યું. ઓફર્સ તો એટલી આવતી પણ એઓ નકારતા હતા. આમ તો એમનું જીવન રૂટિન હતું, કારણ કે ઘરમાં એઓ એકલા જ રહતા.

એમની અભિનેત્રી દીકરી ડેઇઝી ઇરાની લગ્ન પછી સિંગાપોરમાં ઠરીઠામ થઇ હતી. નાટકોના શો મોટા ભાગે રાત્રે જ હોય. આથી દિવસે એમની મરજી મુજબની જિંદગી વિતાવતા. ‘બા રિયાટર થાય છે’ના સવાસો શો લંડનમાં કર્યા હતા. અગાઉ તેના ૫૦૦ શો થઇ ચૂક્યા હતા. અભિનયની આ મહારાણીને જોકે સ્ટેજ પર કે રૂપેરી પડદે જોવાની મઝા કંઇ અનેરી હતી. હિન્દી ફિલ્મોમાં જેમ નિરૂપા રૉય માતાના પાત્રમાં આઇકન બની ચૂક્યાં હતા તેવી જ રીતે કેરેક્ટર રોલની જ વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પદ્મારાણી એ સિક્કો જમાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!