સિંધીયા રાજ પરિવાર પાસે છે આટલી સંપતી જાણીને તમને પણ નવાઈ લાગશે અનેક રાજ્યો કરતા પણ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ દેશમાં લોક્શાહી શાસન વ્યવસ્થા છે. આપણે સૌ જાણીએ છિએ કે આ અગાઉ દેશમાં અનેક રાજા અને રજ્વાડાઓ હતા કે જે અલગ અલગ પ્રદેશો પર રાજ કરતા હતા. આવા રાજાઓ અને રાજ ઘરાનાઓ પાસે અઢળક સંપત્તિ જોવા મળતી હતી. આઝાદી બાદ દેશમાથી રાજાશાહી ચાલી ગઈ છે. પરંતુ હાલમાં પણ દેશમાં અનેક રાજ પરિવારો વસે છે. અને આજે પણ તેઓ ઘણા જ ઠાઠથી જીવે છે.
તેમની જીવન શૈલી આજે પણ રાજાઓ જેવી છે. અને આવા પરિવારો પાસે હાલના સમય પણ એટલી અઢળક સંપતિ જોવા મળે છે કે જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ. દેશના આવા જ રાજ પરીવારો પૈકી એક પરિવાર સિંધીયા પરિવાર છે. આપણે સૌ તેમના વિશે જાણીએ છિએ આ પરિવાર ના અનેક લોકો હાલ રાજકારણ માં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે.
આવા જ એક પ્રખર રાજનેતા છે જ્યોતિર આદિત્ય સિંધીયા. તેઓ સિંધીયા રાજ પરિવાર ના વારિસ છે. અનેક એક ઘણા જ સારા અને પ્રભાવશાળી નેતા પણ છે. ત્યારે સૌ કોઈના મનમાં તેમની સંપતિ અંગે પ્રશ્ન થાય છેકે આખરે તેમની પાસે કેટલી સંપતિ હશે ? તો આ લેખમાં આપણે સિંધીયા પરિવાર અને તેમની સંપત્તિ વિશે વાત કરવાની છે.
જો વાત જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ચૂંટણી સમયે પોતાની સંપતિ ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમની પાસે 2 અબજથી વધુ સંપતિ હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત પણ સિંધીયા પરિવાર પાસે અનેક એવી સંપતિ છે કે જેના અંગે કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે, જો વાત આ કેસમાં ચાલતી સંપતિ અંગે કરીએ તેની અંદાજિત કિંમત લગભગ 40 હજાર કરોડ એટલે કે 400 અબજ રૂપિયા છે.
જો કે તમને જણાવી દઈએ કે સિંધિયા પરિવારનો પ્રોપર્ટીને લઈને ચાલતા કેસ અને તેને લાગતા વિવાદો ઘણા જૂના છે. આ વિવાદ રાજમાતા વિજયરાજે સિંધિયાના સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદ અને કોર્ટ કેસ નું મુખ્ય કારણ રાજમાતાની બે વસિયત વચ્ચે અટવાયેલો છે. જો કે જણાવી દઈએ કે રાજમાતા એ તેમની વસિયત માંથી પુત્ર માધવરાવ સિંધિયા અને પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને દૂરકરી મૂક્યા હતા.
ત્યાર બાદ રાજમાતાએ પોતાની તમામ મિલકત પૈકી એક ભાગ તેમની ત્રણ પુત્રીઓ અને જ્યોતિરાદિત્ય સિંધિયા ની ફઈબાઓ ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજેને આપ્યો હતો. રાજમાતા નાં આ નિર્ણય બાદ માધવરાવ જીવતા હતા ત્યાં સુધી તેમણે કોર્ટમાં કેસ લડયો. અને હવે આ કેસ જ્યોતિરાદિત્ય સિંધિયા લડી રહ્યા છે. જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાની ત્રણ ફઈબાઓ પણ મિલકત પર પોતાનો દાવો કરવા માટે લડી રહી છે.
આ વિવાદ ને ધ્યાનમાં લઈને વર્ષ 1984 માં બોમ્બે હાઈકોર્ટે સિંધિયા પરિવારની તમામ મિલકતો વિજયરાજે અને તેમના એકમાત્ર પુત્ર માધવરાવ વચ્ચે વહેંચી હતી. જે બાદ વર્ષ 1990 માં, માધવરાવ સિંધિયાએ ગ્વાલિયર કોર્ટમાં એક અરજી દાખલ કરી જેમાં તેમણે દાવો કર્યો કે તે પોતે જ સિંધિયા વંશની તમામ સંપત્તિના એકમાત્ર વારસદાર છે. હાલ આ કેસ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે. જ્યારે રાજમાતાની ત્રણ પુત્રીઓ માધવરાવના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢે છે.
અને પોતાનો પક્ષ મજબૂત કરવા તેઓ વર્ષ 1985 માં રાજમાતાની વસિયતનો ઉલ્લેખ કર્યો. જો વાત રાજમાતાની આ વસિયત અંગે કરીએ તો તેમાં રાજમાતાએ તેમના પુત્ર અને પૌત્રને તેમની તમામ મિલકતોમાંથી દૂર કર્યા છે. અને તેમણે પોતાની મિલકતનો બે તૃતિયાંશ હિસ્સો ત્રણ દીકરીઓના નામે આપ્યો હતો જ્યારે એક તૃતીયાંશ હિસ્સો ટ્રસ્ટ દ્વારા ચેરિટીના નામે હતો.