India

63 વર્ષ ની ઉમરે લગ્ન થયા પરંતુ બીજે દિવસે જ એવી ઘટના ઘટી કે ખુશી માતમ મા ફેરવાઈ ગઈ

જીવનમાં ક્યારેક માણસના અભરખા પુરા જ નથી થતા. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને 62 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા પરંતુ કહેવાય છે ને કે જેના ભાગ્યમાં જે સુખ લખ્યું હોય એ થઈ ને જ રહે છે.63 વર્ષ ની ઉમરે લગ્ન થયા પરંતુ બીજે દિવસે જ એવી ઘટના ઘટી કે ખુશી માતમ મા ફેરવાઈ ગઈ! આ સંપૂર્ણ ઘટના વિશે તમે જાણીને આશ્ચય પામી જશો.

આપણે ત્યાં કહેવાય છે ને કે, લગ્નની જોડી તો ઉપર થી બનીને આવે છે.જીવનમાં ક્યારે કોઈ જીવન સાથીનું આગમન થાય અને ક્યારે છોડીને ચાલી જાય એ કોઈ કહી શકતું નથી. આજે આપણે વાત કરીશું એક એવા જ વ્યક્તિની કે જેને પોતાના જીવનમાં લગ્નનું સુખ મેળવવા 62 વર્ષે જાજરમાન રીતે પોતાનાં લગ્ન કર્યા. આ સુખ માત્ર 24 કલાક જ રહ્યું. 35 વર્ષ થી એ કુંવારો હતો કારણ કે એને નક્કી કર્યું હતું કે, લગ્ન કરશે તો તેના સમાજ ની છોકરી સાથે.

ખૂબ જ મુશ્કેલીથી આ વ્યક્તિએ 24 જાન્યુઆરીએ 40 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જેવો જ દુલ્હન સાસરે ગઈ કે થોડા સમય પછી તેનું મોત થઈ ગયું. જેના કારણે 63 વર્ષના વૃદ્ધ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. આ સમગ્ર મામલો ગુજરાતના વડોદરા જિલ્લાના પીપલચાટ ગામનો છે. અહીં રહેતા 63 વર્ષીય કલ્યાણભાઈ રબારીએ તાજેતરમાં 40 વર્ષીય લીલાબેન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

જ્યારે આ સુખ મળ્યું ત્યારે તે આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. આખરે તેમનું આ 35 વર્ષ જૂનું સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. તેણે પોતાના લગ્નમાં આખા ગામને આમંત્રણ આપ્યું અને 40 વર્ષીય લીલાબેનના પણ હજુ લગ્ન થયા ન હતા. દીકરીને ઘરમાં વસેલી જોઈને માતા-પિતા ખુશ થઈ ગયા પણ આ ખુશી દુઃખમાં ફેરવતાં વાર ન લાગી. ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ વિદાય નો પ્રસંગ જીવનની વિદાય નો છે.વાસ્તવમાં, લગ્ન કર્યા પછી દુલ્હન જેવી જ ઘરે પહોંચી, ત્યાં તેનું વિધિ-વિધાન સાથે સ્વાગત કરવામાં આવ્યું.

આ દરમિયાન અચાનક ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી. કલ્યાણભાઈ બેભાન બનેલી કન્યાને હોસ્પિટલ લઈ જતાં અહીના તબીબે લીલાબેનને મૃત જાહેર કરી હતી. કલ્યાણભાઈ અને લીલાબેન વચ્ચે બે-ત્રણ મહિના પહેલા સંબંધ નક્કી થયો હતો. આ સંબંધ વિશે કોઈ પરિચિત વ્યક્તિએ કલ્યાણભાઈને જણાવ્યું હતું. જ્યારે વસ્તુઓ સ્થાયી થઈ ત્યારે તે ખૂબ જ ખુશ હતો.63 વર્ષની ઉંમરે લક્ષ્મી તેમના ઘરે આવી. પરંતુ ઉપરનાને કંઈક બીજું મંજૂર હતું. કદાચ લગ્નનું સુખ તેના જીવનમાં લખાયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!