India

દેર અને ભાભી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને આખરે એવો કરુણ અંત આવ્યો કે….

આજના સમયમાં ખરેખર માણસ ખૂબ જ વિકૃત થઈ ગયા છે. આજે પોતાના સંબંધોની પરિભાષાઓ ભૂલીને નાં કરવાનું કરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણા લોકોમાં અનૈતિક સંબંધો જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, જાણીને ચોંકી જશો તમે. આવું ક્યારેય નહીં સાંભળ્યું હોય એવી ઘટના બની છે , દિયર અને ભાભી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને આખરે એવો કરુણ અંત આવ્યો કે આ અંત જાણીને હૈયું દ્રવી ઉઠશે.

ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હરિયાણામાં દેર ભાભી લવ સ્ટોરીનો દુઃખદ અંત આવ્યો. બંને એકબીજાના પ્રેમમાં હતા અને 12 દિવસથી ઘરેથી ગાયબ હતા. આ પહેલા પણ બંને ઘરેથી ભાગી ગયા હતા, ત્યારબાદ પરિવારના સભ્યો શોધખોળ કરીને ઘરે લાવ્યા હતા. સોમવારે બંનેએ શાન-એ-પંજાબ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.યુવતીને 3 બાળકોની માતા હતી. આરપીએફએ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. આ ઘટના કરનાલ જિલ્લાના ગોગાદીપુર ગામની છે. અહીં રહેતા મનોજ સિંહના લગ્ન 12 વર્ષ પહેલા પરમજીત કૌર (34 વર્ષ) સાથે થયા હતા. બંનેને 3 બાળકો છે. આ દરમિયાન મનોજનો ભાઈ અમન (27 વર્ષ) અને પરમજીત એકબીજાના પ્રેમમાં પડી ગયા. અમન પરણ્યો ન હતો. બંને એકાંતમાં ગુપ્ત રીતે મળતા હતા. પરિવારના સભ્યો લાંબા સમય સુધી શંકા કરી શક્યા નહીં. દિયર ભાભીના સંબંધોની જાણ થતાં જ ઘરના લોકો ઠપકો આપ્યો અમે બંને સમજાવ્યા પણ બંને ભાગી જવાનો પ્લાન બનાવ્યો. આ પછી પરિવારે બંનેની શોધખોળ કરી અને 15 દિવસ બાદ ઘરે પરત લાવ્યા.

સોમવારે સવારે ગામમાં રહેતા રાય સિંહને એક ખેડૂતનો ફોન આવ્યો કે પ્રકાશનો પુત્ર અમન ટ્રેનની નીચે આવી ગયો છે. તેણે જણાવ્યું કે એક મહિલા પણ ટ્રેનની અડફેટે આવી હતી. સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા અને જોયું કે અમન અને પરમજીતના મૃતદેહ પડેલા હતા. બંનેએ શાન-એ-પંજાબ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી.બંનેના મૃતદેહ 50 ફૂટના અંતરેથી મળ્યા સબ ઈન્સ્પેક્ટર કાશ્મીર સિંહે જણાવ્યું કે સવારે લગભગ 9 વાગે માહિતી મળી કે રેલવે ટ્રેક પર બે મૃતદેહ પડ્યા છે.

જેમાં એક યુવક અને એક મહિલાના મૃતદેહ હતા. યુવકની શોધખોળ કરતાં એક આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે અમન ગોગદીપુર ગામનો રહેવાસી છે. મહિલાની ઓળખ પરમજીત કૌર તરીકે થઈ હતી. આત્મહત્યા કેસ. બનાવનું કારણ શોધી રહ્યા છે. પરિવારની ફરિયાદના આધારે કલમ 174 હેઠળ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રેમમાં દુનિયા એટલી આંધળી બની જાય છે કે, દરેક સંબંધોને ભુલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!