કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહે અનોખી પહેલ કરી ! ચાંદલાવિધિ ના 11.51 લાખ…..
હાલમાં જ્યારે લગ્નની સિઝન આવે છે, ત્યારે અનેક એવા કિસ્સાઓ જોવા મળે છે જે, ખૂબ જ પ્રેરણાદાયી અને સમાજને એક ઉમદા સંદેશ આપે છે. ત્યારે આજે હાલમાં અમે જે વાત કરી રહ્યા છીએ તે ઘટના જાણીને તમને ખૂબ જ આશ્ચય થશે.વાત જાણે એમ છે કે,ગુજરાતનાં ટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહે અનોખી પહેલ કરી ! ચાંદલાવિધિ ના 11.51 લાખ નું જે કર્યું એ કાર્ય જાણીને તમને ખૂબ જ આશ્ચય થશે અને તમેં ચોકી જશો. આપણા હિન્દૂ ધર્મમાં લગ્ન સાથે અનેક એવા રીતિ રિવાજો જોડાયેલા છે જે અનોખી શીખ આપે છે.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહજીની બુધવારના રોજ તેમના આંગણે સ્થાને ચાંદલા વિધિ યોજાઈ હતી રીતિ રિવાજો મુજબ કન્યા પક્ષ દ્વારા વર પક્ષને ચાંદલા પેટે આપવામાં આવેલ રૂ.11.51 લાખ.હવે આજના સમયમાં કોઈ એક હજાર રૂપિયા જતા કરવા તૈયાર ન થાય ત્યારે લાખો રૂપિયાની રોકડ જતી કરવી એ ભાગ્યે જ કોઈનું હૈયું ચાલી શકે છે.
વર પક્ષ દ્વારા રાજપૂત સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા પહેલ કરી છે. કટોસણ ધનપુરા ખાતે આવેલ દરબાર ગઢમાં ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલાના સગાઈ પ્રસંગ નિમિતે ચાંદલા વિધિ કાર્યક્રમ યોજાયેલ જેમાં સાફો બાંધવાની વિધિ યોજાઈ હતી. મધ્યપ્રદેશના રતલામના કેશુર સ્ટેટના કન્યા પક્ષ દ્વારા રિવાજ પ્રમાણે ચાંદલા પેટે રૂ. 11,51,000 આપવામાં આવ્યા હતા. જે પૈસા ધર્મપાલસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલાએ કન્યા પક્ષવાળાને પરત કરી ચુંવાળ 84 રાજપૂત સમાજમાં કુરિવાજો પ્રત્યે જાગૃતતા લાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
આજના સમયમાં આપણી જૂની પંરપરાઓ અને રીતિ રિવાજો ને સાથે લઈને ચાલીએ છીએ પરંતુ જીવનમાં ક્યારેક સમય સાથે બદલાવ જરૂરી છે. આજના સમયમાં જે રીતિ રિવાજો યોગ્ય નથી તેને નાબૂદ કરવા જોઈએ. ભાગ્યે જ એવું જોવા મળે છે કે લોકો સરહાનીય કાર્ય કરી શકતા હોય છે. આ જે નવી પહેલ કરી છે તે સમાજ માટે ઉત્તમ સંદેશ છે. આ જો રીતિ રિવાજ તોડવી ન હોય તો તમે શકુન નાં રૂપે એક રૂપિયો લો તો પણ રિવાજ સચવાઈ જાય છે. આ પરિવારે જે કાર્ય કર્યું તે ખૂબ ન સરહાનીયછે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ સમારોહમાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત જે.પી.જાડેજા, ભરતભાઈ કાઠી, ગુજરાતના રજવાડાના આગેવાનો અને ચુંવાળ 84 સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ પેપર અને મીડિયાનાં માધ્યમ થી આ નવી પહેલ ને લોકો સુધી પોહચાડવામાં આવી રહી છે.