ગુજરાતનાં કર્ણ સમાન ખજુર ભાઈ વૃદ્ધાઆશ્રમ અને ગૌશાળાનું ભુમીપૂજન કર્યું,5 કરોડનાં ખર્ચે નિર્માણ થશે…
જીવન જીવવું જે માણસ જાણી જાય તો માણસ ક્યારેય દુઃખી થતો જ નથી. આજના સમયમાં ઘણા એવા વ્યક્તિ હોય છે જે પોતાનું જીવન બીજાના માટે જીવતા હોય છે.તેમના જીવન નો હેતુ માત્ર લોકસેવા હોય છે. આવા જ એક વ્યક્તિ એટલે ખજુર ભાઈ જેનું સાચું નામ નીતિન જાની છે. એક સામાન્ય કોમેડી કલાકાર તરીકે યૂટ્યૂબ દ્વારા તેમને લોકપ્રિયતા મેળવી અને સમય જતાં જ તેમને પોતાની આવડત દ્વારા લોક ચાહના મેળવી. ખરેખર ભાગ્યે જ એવા હશે જે લોકો ખજુર ભાઈ વિશે નહિ જાણતાં હોય.
ખજુર ભાઈ પોતાની કમાણી માંથી 90 % કમાણી લોકોની સેવા માટે વાપરી રહ્યા છે. તેમને વાવાઝોડા દમમિયાન અનેક લોકોના ઘર બનાવ્યા છે અને દરેક લોકોના સપના ને પરિપૂર્ણ કરીને લોકોની ખુશીઓનું કારણ બન્યા છે , ત્યારે હાલમાં જ એક તેમને મહત્વની જાહેરાત કરી હતી અને એ વાત ને તેમને સાકાર કરી બતાવી છે. હાલમાં જ જેતપુર ધામમાં યોજાયેલ ઉત્સવમાં ખજુર ભાઈ કહ્યું હતું કે એમને દરેક ગામમાં પાકા ઘર બનાવી દેવા છે તેમજ નિરાધાર વૃદ્ધ લોકો માટે વૃદ્ધાઆશ્રમ બનાવો છે. આ વાત નું તેમને હાલમાં જ બીજ રોપ્યું છે.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખજૂરભાઈ હવે વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. હાલમાં જ તેમને સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું. તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર ગૌશાળા અને વૃદ્ધાશ્રમ નિર્માણ કરાવમાં આવશે.
આ આલીશાન અને અતિ ભવ્ય નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો રહી શકશે. અહીં વૃદ્ધો માટે મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ઘ કરાવાશે. તો ગૌશાળામાં 100 જેટલી ગાયો રાખવામાં આવશે.ખરેખર ખજુર ભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ સરહાનીય છે અને તેમના આ કાર્યથકી અનેક લોકોનું જીવન અમૂલ્ય બન્યું છે. હવે આ નવી પહેલ થકી અનેક વૃદ્ધ લોકોને પોતાનું ઘર મળશે જેઓ નિરાધાર અને દુખિયા છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભાણવડના વતની એવા નીતિન જાની વતન માટે નિસ્વાર્થ ભાવે રહીને સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પહોંચી ગયેલ વાવાઝોડાં દરમિયાન અને દરેક ગામની મદદ કરેલ. હવે તેમને વુંદ્ધોની સેવા શરૂ કરી અને જોતજોતાંમાં 161 જેટલાં ઘર બનાવીને સમાજસેવક તરીકે ઊભરી આવ્યા ત્યારે દિવ્યભાસ્કરે જ આ સેવાકાર્યને બિરદાવતા નીતિન જાનીને ‘ગુજરાતનો સોનુ સુદ’ કહ્યા હતા.તેમજ આપણે અવારનવાર તેમની ઉદારતા અને સેવા કાર્યના નાં કિસ્સાઓ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જોતા જ હોઈએ છીએ.