400 વર્ષજુનું સ્વયંભુ પાટવાળ હનુમાનજીનું મંદિર, ગામવાળા મૂર્તિ ઉઠાવી ત્યારે દેખાડ્યો આવો ચમત્કાર.
જગતમાં ચોરેતરફ હનુમાનજીના દિવ્ય સાનિધ્ય આવેલ છે. ત્યારે આજે અમે આપને અતિ પવિત્ર હનુમાનજીના મંદિર સાથે અનુભૂતિ કરાવશું.ખરેખર આજના સમયમાં આવું મંદિર તમે ભાગ્યે જ જોયું હશે. આ મંદિર સાથે એક અતી પૌરાણિક કથા જોડાયેલ છે, આ ઘટના વિશે ભાગ્યે જ કોઇ જાણતું હશે. ચાલો આજે અમે આપને આ સ્વયંભુ હનુમાનજીના દિવ્ય પરચા અને તેમની પ્રાગટય કથા થી રુબરુ કરાવીશું. જગતમાં ખૂણે ખૂણે હનુમાનજીના મંદિરો આવેલા છે, પણ આવા ચમત્કારી મંદિર તમે ભાગ્યે જ જોઈ શકશો.
આજે અમે આપને જણાવીશું રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના દહિસરડા ગામથી બે કિલોમીટર દુર આજી નદીના કાંઠે સ્વયંભુ પાટવારા હનુમાનજી દાદા બિરાજમાન છે. આ મંદિરમાં બાલાજી જમીનની અંદર છ ફુટ નીચે બીરાજેલા છે . મંદિરની વિશાળ જગ્યા ઘટાટોપ ઝાડથી પથરાયેલી છે , અને તદન નયનરમ્ય કુદરતી સૌદર્યથી ભરપુર છે.
આશરે 400 વર્ષ પૂર્વે આજી નદીના કાંઠે તલબાવળના ઝાડની વેરાન જગ્યામાં લીમડાના ઝાડ નીચે સ્વયંભુ પ્રગટ થયા હતા. નદીના કાંઠે મોટો ધરો હતો અને પથ્થરોની મોટી પાટ હતી , ગામના લોકોને ઝાડ નીચેની એક પાટમાં હનુમાનદાદાની હાજરી હોય તેવો કંઈકે ચમત્કાર દેખાયો અને તેથી તે સમયે તે લોકોએ જગ્યાનું નામ પાટવાળા હનુમાનજી દાદા રાખે હતું . જયારે દાદા પ્રગટ થયા તે સમયે મોરબી સ્ટેટનું છેલ્લું સરહદનું ગામ કનકી નગરી તરીકે ઓળખાતુ હતુ .
હનુમાનજી દાદાના પ્રાગટય સમય પછી એક ચમત્કાર થયેલો . આ જગ્યા એક વેરાન સ્થળે હતી , તલબાવળના ઝાડથી ઉભરાયેલી હતી , તેથી ઓ ટાળા ગામના દેસાઈ કુટુંબના અમુક લોકોએ વિચાર્યુ કે દાદાને તેમના ગામની નજીક લાવી સ્થાપના કરી એક ભવ્ય મંદિર બનાવીએ . તે લોકો દાદા ને લેવા માટે બળદગાડામાં ગયા . મુર્તિ ઉપાડવાનું ખોદકામ આદર્યુ . મહામુસીબતે આ લોકોએ મૂર્તિ ઉપાડી બળદ ગાડામાં મુકી અને ચાલતા થયા , પણ થોડે દૂર જતા ગાડાનો ધરો ભાંગી ગયો , સાથે મૂર્તિ પણ અદશ્ય થઈ ગઈ .
તેઓપાછા દાદાની મૂળ પ્રાગટય જગ્યાએ આવ્યા અને જોયું તો મુર્તિ પહેલાની જેમ જ ત્યાં બિરાજમાન હતી . લોકોએ મૂર્તિને ઉપાડવા ફરીથી ખોદકામ શરૂ કર્યુ પણ આ મૂર્તિ જમીનમાં અંદર ઉતરતી ગઈ.લોકોએ વિચાર્યું કે દાદાને અહિંથી બીજે કયાંય જવું મંજુર નથી . માટે તે લોકોએ માફી માગી પ્રાર્થના કરી કે અમે મુર્તિ લીધા વિના પાછા ફર્યા.
આ જગ્યાનો પ્રભાવ હતો કે ગૌરી અદાને હનુમાનજ દાદાએ પરચો આપી સાક્ષાત વાતચીતકરી આદેશ પણ આપેલ હતા . મોવૈયા ગામના પટેલ લાલજી માવજી પાટવારા દાદાના ભુવા – નિમાયા હતા . ઓટાળાના દેસાઈ કુટુંબના વેલાબાપા અને હર્ષદપુરના પટોરિયા કુટુંબના રૂડા બાપા પણ દાદાની કૃપાથી અનેક લોકોના દુ:ખદર્દ દૂર કરતા . પાટ વારા દાદાએ ઘણા પરચા પૂર્યા છે.ખરેખર આ સ્થાન ખૂબ જ દિવ્ય અને અતિ અલૌલિક છે, ભાગ્યે આવા પવિત્ર સ્થાની મુલાકાત લીધી હશે.