શુ ટપુ “તારક મહેતા” શો ને આ કારણ થી છોડી રહ્યો છે ?? જાણો શુ છે હકીકત
હાલમાં સબ ટીવી ની સિરિયલ ખૂબ જ પ્રચલિત છે, ત્યારે આ સિરિયલમાં અનેક કલાકારો એ વિદાય લઈ લીધી છે, છતાંય પણ આ સિરિયલ એટલી જ લોકપ્રિય છે. આ સીરિયલમાં અત્યાર સુધીમાં દયા બહેન, સોનુ, ટપુ, સોઢી, નટૂકાકા, ડો. હાથી જેવા કલાકારોએ એ આ સિરિયલમાં થી વિદાય લીધી. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે મેં, સિરિયલમાં ‘ટપુ’નું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ થઈ ગઈ છે. ‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે રાજ અનડકટનો કોન્ટ્રાકટ પણ રિન્યૂ નથી કરવામાં આવ્યો
ખરેખર આ જાણીને દર્શકોમાં વધુ આઘાત જોવા મળ્યો છે.પહેલા ભવ્ય ગાંધી અને હવે રાજ ની વિદાય થઈ રહી છે, ત્યારે હાલમાં અનેક પ્રશ્ન ઉભા થાય કે હવે નવા ટપુ તરીકે કોણ આવશે? ખરેખર આ એક મળ્યો પ્રશ્ન બની રહેશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ પણ આ વાત સમજી શક્યા ન હતા.
રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ રિન્યૂ કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને રાજે આ શોને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, પણ ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેશે. એ પછી તે સિરિયલમાં જોવા નહીં મળે. મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી ત્યાર પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.
હવે જોવાનું રહ્યું કે, રાજની વિદાય ન લીધે કોણ તેની જગ્યા એ આવશે તેમજ હવે શુ દર્શકો આ સિરિયલ સાથે જોડાયેલ રહેશે? ખરેખર હજુ તો થોડા સમય પહેલા રાજ અને મૂનમુન દત્તા નાં અફેર ની વાત ફેલાઈ હતી ત્યારે હવે આ સમાચાર ન લીધે સૌ કોઈ ચોંકી ગયા છે. ત્યારે હવે ટપુના ચાહકો માટે આ એક દુઃખદ વાત છે. ખરેખર એક પછી એક કલાકારો હવે વિદાય લઈ રહ્યા છે, ત્યારે આ સિરિયલ તેની લોકપ્રિયતા ગુમાવશે કે નહીં?