Gujarat

તલવાર-સાફાની પૂજા વિધિ કરી ખાંડા સાથે દીકરીને સાસરે વળાવી, જુઓ રાજપૂત સમાજની અનોખી પરંપરા.

આપણા હિન્દૂ ધર્મમાં અનેક એવા લગ્નના રીતિ રિવાજો છે, આજે ભાગ્યે જ જોવા મળે છે પરંતુ જેમની પરંપરા છે , તે લોકો આજે પણ આ પરંપરા ને જાળવી રહ્યા છે. હાલમાં જ એક નવવધૂ એ પોતાની આ પરપંરા જાળવી છે. એક અનોખા લગ્ન વિશે જણાવશું જેના વિશે તમેં સાંભળી ને કાંઈક નવુ જાણશો. એક પરીવારે તલવાર-સાફાની પૂજા વિધિ કરી ખાંડા સાથે દીકરીને સાસરે વળાવી, જુઓ રાજપૂત સમાજની અનોખી પરંપરા હજારો વર્ષો બાદ પણ અનેક પરીવારો નીભાવી રહ્યા છે. ત્યારે આજે એક અનોખી પ્રર્થા વિષે જણાવીએ.

રજવાડા વખતે વેલ અને ખાંડુ પ્રથા લતી હતી અને આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી પરંતુ પોતાની સામાજિક પરંપરા ને ટકાવી રાખવાની અને આજના આધુનિક યુગમાં જૂની પરંપરા પ્રમાણે અનુસરવું એજ સંસ્કૃતિ છે હાલમાં જ આ પ્રથાને ફરી જીવંત કરી છે. વાત જાણે એમ છે કે, રાજપીપલાના રાઠોડ પરિવારે સ્વીકારી અપનાવી અને તેને અનુસરી ત્યારે રાજપીપલા ખાતે એક રાજપૂત સમાજમાં ખાંડા પ્રથા સાથે એક દીકરીના લગ્ન થયા અને ધામધૂમથી લગ્નનું આયોજન કરી ભુજથી આવેલા ખાંડા સાથે દીકરીને વળાવી હવે ભુજ લગ્ન યોજાશે અને ત્યાં કન્યા વરરાજા સાથે સાત ફેરા ફરશે.

નાંદોદ તાલુકાના રસેલા ગામના વતની છત્રસિંહ કાલુબાવા રાઠોડ, સંધ્યાબા રાઠોડની દીકરી વિરાજબાના લગ્ન કચ્છ ભુજના બિદડા નિવાસી રવિરાજસિંહ સાથે નક્કી કર્યા છે. ત્યારે રાજપીપલાના છાત્રવિલાસ પેલેસ ખાતે મોટાભાઈ જયદીપસિંહ અને તેના પત્નીએ ગ્રહશાંતિ કરી લગ્નની પૂજા વિધિ કરી હતી.ભૂજથી વિરાજબા માટે આવેલ ખાંડા સાથે તેમને વળાવવામાં આવ્યા હતા. ખાંડા પ્રથાની વાત આવી ત્યારે શિક્ષિત યુવતીએ તરતજ પોતાના સમાજની પરંપરાને અપનાવવાની વાત કરી પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે. ખાંડાં પ્રથાને સ્વીકારીને લગ્ન કર્યા, વિરાજબા રાઠોડે પોતાની જાનમાં આવેલ તલવાર અને સાફોની સાથે પૂજા વિધિ કરી આ ખાંડા સાથે સાસરે વળાવી હવે ત્યાં જઈને તેના મનના માણીગર યુવાન સાથે લગ્ન થશે.

વર્ષો જૂની આ પરંપરા આજે પણ વર્તમાન સમયમા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે.લગનની આ પ્રથા કદાચ મધ્યયુગના સમયથી ચાલતી આવી છે. 1000 વર્ષો પહેલા રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે જ્યારે રાજપૂત રાજા લગ્ન મંડપમાં જવાના બદલે રણમેદાનમાં જવાનું પસંદ કરતો અને બીજી બાજુ એના નામથી તલવારને મોકલવામાં આવતી અને આ દેશની રાજપુતાણી હસતા મુખે એ તલવાર સાથે સાસરીમાં આવી જતી અને એટલે જ આ પ્રથામાં રાજપુતાણીના મહાન ત્યાગનાં દર્શન થાય છે. આજના યુગમાં વળાવી એ એક સંસ્કુતિ ની સાચી ઓળખ અને સમાજ ની સાચી રાજપૂતાણી કહેવાય. આજ ના સમયમાં મોર્ડન યુગમાં આવા લગ્ન જોવા મળવા અને આજની યુવતી આવી પ્રથાને હસતા મુખે સ્વીકારે એ ગુજરાતની દીકીઓઓના સંસ્કાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!