દિવસે છૂટક મંજુરી અને સાંજે કચરો વિણનાર વ્યક્તિ આજે 300 કરોડની કંપની ઉભી કરી છતાંય ટેમ્પો લઈને વૃક્ષોને પાણી પીવડવા નિકીડી પડે છે રોજ!
ધનવાન બનવું સહેલું છે પણ એક સારા વ્યક્તિ બનવું ખૂબ જ અઘરું છે, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેમને અથાગ પરિશ્રમ અને કોઠા સૂઝ દ્વારા અઢળક સંપત્તિનો વારસો મેળવ્યો છે. આ સાથો સાથ તેમને પોતાના ગામને લીલું છમ બનાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. આજે આપણે જાણીશું ભાવનગરના શેઠ બ્રધર્સ ની સફળતાની કહાની વિશે જાણીશું. દેશની અગ્રણી બ્રાન્ડ કાયમચૂર્ણવાળા ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠ કે જેમનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ રૂ છે.
ત્યારે ચાલો આપણે તેમના અંગત જીવન અને સફળતાની કહાની પર નજર કરીએ. દેવેન ભાઈએ છેલ્લા 10 વર્ષથી વૃક્ષો માટે અભિયાન છેડીને ભાવનગરને બેંગાલૂરૂ જેવું હરિયાળુ શહેર બનાવવા માટે સંકલ્પ લીધેલ અને અત્યાર સુધીમાં દેવેનભાઈએ એકલા હાથે ઝઝૂમીને 7000 જેટલા વૃક્ષોની ભેટ ભાવેણા નગરીને આપી છે. ગુજરાતમાં ગાંધીનગર બાદ ભાવનગર શહેરને ગ્રીનસિટી બનાવવામાં
મહત્વનું યોગદાન આપ્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાંય પણ તેઓ પોતાની એસયુવી કાર ઝાયલોમાં 40-40 કેરબા ભરી પોતે વાવેલા વૃક્ષોને પાણી પાવા નીકળતા હતા. ત્યારબાદ તેમાં 40 કેરબા ઓછા પડતા આજે સ્પેશિયલ વૃક્ષોના જતન માટે છોટા હાથી ટેમ્પો વસાવી લીધો છે. તેમાં 1500 લીટર પાણીની સિન્ટેક્ષની ટાંકી મુકવામાં આવી છે. રોજ સવારે 6 વાગે તેઓ છોટા હાથી ટેમ્પોમાં નીકળી પડે છે અને એક હાથમાં સ્ટીયરીંગ તેમજ એક હાથમાં પાણીની નોજર વડે વૃક્ષોને પાણી પાતા હોય છે.
કહેવાય છે ને કે, વ્યક્તિની સફળતા પહેલા તેમને ખૂબ જ સંઘર્ષ કરેલ હોય છે. માત્ર નવ વર્ષની વયે દિવસે પીપરમીન્ટની ગોળીઓ બનાવતાં કારખાનામાં છૂટક મજૂરી કરવાની અને સાંજ પડ્યે શહેરમાં કાગળ અને કચરો વીણવા નીકળવાનું. એક કોથળો ભરાય એટલા કાગળ મળે ત્યારે પસ્તીના બે-ત્રણ રૂપિયા મળે. મૂળ નગરશેઠનું, પરંતુ ગરીબીમાં ઘસાઈને કંગાળ થઈ ગયેલું ઘર ને એમાં કિશોર વયના ચાર ભાઈઓ અને બે બહેનો માતા સાથે રહે.
પિતાના અવસાન પછી ગરીબીમાં મોટા ભાઈ રસિકભાઈ વડવાઓનો વૈદકનો ધંધો કરે, પણ એમાં ટંકનું ખાવા મળે એટલી પણ કમાણી નહિ.સોૈથી મોટાભાઈ રસિકભાઈ પિતાજી પાસેથી વૈદક શિખ્યા હતા તે જ્ઞાન તેમણે ભાઈઓને આપ્યું. અશોકભાઈ શેઠ, જેના નામથી આજે શેઠ બ્રધર્સ પ્રખ્યાત છે. તેઓ 10 વર્ષની ઉંમરે વૈદું શીખ્યા હતા અને બાળાગોળી વગેરે ઓસડિયાં વેચવા ભાડાની સાઇકલ લઈને આજુબાજુનાં ગામડાંમાં ફરતા. સાથે અન્ય મજૂરી પણ કરી લેતા.
યુવાનીમાં વિવિધ ફાર્મસીઓમાં નોકરી કરી પણ તબિયતને કારણે નોકરી છોડી. તે સમયે હીરા ઘસવાનાં કારખાનામાં નવાં નવાં શરૂ થયાં હતાં. તેના હીરાઘસુઓના બેઠાડુ જીવનને કારણે પેટ ફૂલી જાય તે માટેની દવા બનાવી અને નામ આપ્યું ઇલેક્ટ્રા. આ દવા વેચવા અશોકભાઈ કારખાનાંનાં પગથિયાં ઘસતાં. એ સમયે એક પત્રકારે રસિકભાઈ પાસે જાહેરખબર માગી. જાહેરાત કોમલા ગુટિકાની હતી. જાહેરાત છપાતાં ઘરાકી જામી પડી, પછી આવી જ જાહેરાત મુંબઈમાં આપી અને ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો અને એવો ચાલ્યો કે આજે કંપની કરોડોનું ટર્ન ઓવર કરે છે.