ક્રિકેટર બનવા માગતા દેવ પગલી આવી રીતે બની ગયા ગાયક કલાકાર ! લાખ રુપીયા નો ઘાઘરો, માટલા ઉપર માટલું જેવા ગીતો…
ગુજરાતી લોક ગાયક કલાકારોમાં હાલમાં દેવ પગલીનું નામ ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે.હાલમાં જ દેવ પગલી કહ્યું છે કે, ભગવાને મને ભૂલ થી કલાકાર બનાવ્યો છે. ખરેખર આ આ વાત સત્ય છે. હાલમાં જ બીબીસી ન્યૂઝ નાં અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, દેવ પગલીનું સપનું ગાયક કલાકાર બનવાનું હતું જ નહીં અને તેઓ ઘરે થી ભાંગી ને ગયા હતા પોતાનું સપનું પૂરું કરવા પણ જીવનમાં આવેલો વળાંક આવ્યો કે, તેઓ લોક ગાયક કલાકાર બની ગયા. ચાલો આજે અમે આપને જણાવીએ કે આખરે તેમને શું બનવું હતું અને ગાયક કલાકાર કેમ બન્યા?
હાલમાં માટલા ઉપર માટલું સોંગ બહુ લોકપ્રિય બન્યું છે અને આ હિટ સોંગ આપ્યા પહેલા દેવ પગલી મોટા ભાગે ફ્લોપ ટાઇટલ વધુ આપ્યા અને હવે તેમની કારકિર્દી સફળતાને આરે છે. ત્યારે આજે તેમના વિશે ખાસ વાત જાણીએ. દેવ પગલી કહ્યું કે, મારે ક્રિકેટર બનવાનું અને ભારત માટે રમવાનું સપનું હતું.ગાયક દેવ પગલી કહ્યું હતું કે, હું ઘરેથી નાસી છૂટ્યો હતો અને ત્યારે કલાકાર અથવા ક્રિકેટર બનવાનું સપનું લઈને નીકળ્યો હતો અને “સપનું પૂરું કરવા માટે હું યુસૂફ અને ઇરફાન પઠાણના પિતાને વડોદરા જઈને મળી આવ્યો હતો.”મેં નયન મોંગિયાને પણ મળવાની કોશિશ કરી, પરંતુ તેઓ તે સમયે મને ઘરે નહોતા મળ્યા.”
ક્રિકેટર બનવા માટે ઘણી મહેનત કરવી પડશે અને તે ખૂબ કપરું પણ હતું. કલાકાર બનવા પાછળની પ્રેરણા અંગે જણાવતાં કહે છે, “ડિસામાં જ્યારે હું ક્રિકેટની પ્રૅક્ટિસ કરતો, ત્યારે મને લખવાનો પણ શોખ હતો.તે વાંચીને મારા કેટલાક મિત્રોએ મને કલાકાર તરીકે કારકિર્દી ઘડવા માટે પ્રેર્યો; અને એ સપનું લઈને જ હું આગળ વધ્યો અને કલાકારોને મળવાનું શરૂ કર્યું.વર્ષ 2007માં આરાસુરના ધામમાં, એવા નામે પ્રથમ ગીત ગાયું; પરંતુ તે બનાવવા માટે મારા ગામના લોકોએ અને મિત્રોએ ફાળો ઉઘરાવીને પાંચ હજાર રૂપિયા કરી આપ્યા.
“આમ છતાં નાણાંના અભાવમાં તે આલ્બમ રિલીઝ ન થયો. ત્યાર બાદ સંઘર્ષ કરતાં-કરતાં મુંબઈ પહોંચ્યો, જ્યાં બોલીવુડ ગાયક વિનોદ રાઠોડ મળ્યા જેમણે મારી સાથે કામ કરતી વખતે ભવિષ્ય ભાખ્યું કે ‘બચ્ચા, એક દિન તું ગાયક બનેગા! વાત અંગે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, “મેં મારા હિટ ગીત લાખ રૂપિયાનો ઘાઘરોમાં ઘાઘરો બતાવ્યો જ નથી, તેવી જ રીતે માટલા પર માટલું ગીતમાં પણ માટલું નથી બતાવ્યું. મેં એવાં જ ગીતો બનાવ્યાં, જે સાંભળીને લોકો ઝૂમી ઊઠે. લોકો નાચવા જોઈએ બસ!પોતાના નામની પાછળ ‘પગલી’ લગાવે છે.
કરણ કે, જ્યારે કલાકાર બનવા માટે ઘરેથી નીકળ્યો, ત્યારે મારા પિતા દોઢ વર્ષ સુધી માનસિક રીતે અસ્થિર હતા અને પછી તેમનું મૃત્યુ થયું હતું.”જેનો દોષ ગામલોકોએ મને આપ્યો. મને કહેવાયું કે તારી કલાકાર બનવાની ઘેલછાના કારણે તારા પિતાની તું સેવા ન કરી શક્યો અને તેઓ ગુજરી ગયા.એ દિવસથી મેં ગામ છોડ્યું અને મારી માતાને કહ્યું કે હું ત્યારે જ અહીં પાછો ફરીશ, જ્યારે આ ગામનું નામ રોશન કરીશ. મારા જીવનની આ હકીકતને અભિવ્યક્ત કરવા માટે મેં મારા નામ પાછળ પગલી લગાવ્યું છે અને આજે આ જ નામથી લોકપ્રિય બનેલ છે અને ખાસ વાત એ છે કે, તે પોતાના રંગ બેરંગી કપડાઓ અને પોતાની હેર સ્ટાઈલ નાં લીધે વધુ ઓળખાય છે.
દેવ પગલી સુપરસ્ટાર તો બની ગયા પરતું કહેવાય છે ને કે,જીવનમાં દરેક વ્યક્તિની જીવનમાં કંઈક અફસોસ રહી જાય છે. બસ આવો જ એક અફસોસ દેવ પગલીનાં જીવનમાં રહી ગયો અને આ વાત તેમને એક ઇન્ટરવ્યૂમાં કહેલું. ખરેખર જ્યારે દેવ પગલીએ આ વાત કરી ત્યારે તેમની આંખોમાં થી આંસુઓ વહી જાય છે. તેમને પોતાના પિતા સાથે અંતિમ સમય એક ઘટના બની હતી.વાત જાણે એમ છે કે, મુત્યુ નાં થોડા સમય પહેલા તેમના પિતા એ કહેલું કે, હાલ દીકરા મારા સાથે જમી લે અને એ જ સમયે દેવ પગલી એ કહ્યું કે, જમી લે દીકરા સાથે તે સમયે દેવ પગલી કહ્યું કે હું ગીત લખી લઉં અને બસ થોડી ક્ષણમાં મુત્યુ થઈ ગયું તેમના પિતાનું અને આ વાતનો અફસોસ રહી ગયો કે અંતિમ સમયે પિતા સાથે જમી ન લીધું.